SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્ત તત્તવ મીમાંસા: રેગમુકત જે ભવમુક્ત (૬૩૧) બેલનારની જેમ વદતે વ્યાઘાત છે. કારણ કે જે વ્યાધિ જ હોતે, તે વ્યાધિમુક્ત થયે શી રીતે? માટે એમ કહેવું તે સાવ બેહૂદું છે. કારણ કે તે ભવરોગથી દુઃખી થઈ રહ્યો હતો તે પ્રત્યક્ષ પ્રગટ હકીકત (Real fact) છે. અને તેમાંથી છૂટયો-મુક્ત થયો, ત્યારે જ તે ભવ્યાધિ રહિત-મુક્ત કહેવાય છે. આમ સર્વથા, વ્યાધિમુક્ત પુરુષ જેવો લેકમાં હોય છે, તે જ-તાદશ જ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત પુરુષ (આત્મા) હોય છેઃ (૧) વ્યાધિમુક્ત પુરુષ જેવો સ્વસ્થ આનંદી હોય છે, તે આ મુક્ત આત્મા પરમ સ્વસ્થ–પરમ આનંદરેગમુક્ત જે નિમગ્ન હોય છે. (૨) જેમ રોગ દૂર થતાં કાંઈ રોગી પુરુષને ભવમુક્ત અભાવ થઈ જતું નથી, તેમ ભવવ્યાધિ દૂર થતાં કાંઈ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્માનો અભાવ હેત નથી. ૩) તે વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી હોતે એમ નહિ, પણ મુક્ત જ હોય છે, તેમ આ નિર્વાણપ્રાપ્ત મુક્ત આત્મા ભવ્યાધિથી મુક્ત નથી એમ નહિં, પણ મુક્ત જ હોય છે. (૪) અને તે વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે અવ્યાધિત હેતે, વ્યાધિ વગરને હોતે, પણ વ્યાધિવાળે હતે જ; તેમ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા પણ પૂર્વે અવ્યાધિત હેતે, ભવ વ્યાધિ વગરનો હોતે, પણ ભવ વ્યાધિવાળે હતું જ. નહિં તે, વ્યાધિ જ ન હોત, તે તેને નાશ પણ કેમ હેત ? તેથી મુક્તપણું કેમ હોત? મૂરું નાસ્તિ કુત્તો લા? આમ આ દૃષ્ટાંત ઉપરથી સુપ્રતીતપણે ફલિત થતી ચકખી દીવા જેવી સ્પષ્ટ હકીકત બાલક પણ સમજી શકે એમ છે, તે સાદી સમજવાળ કેઈ પણ મનુષ્ય કેમ ન સમજે? તથાપિ મહામતિ ગણતા કેટલાક દર્શનવાદીઓએ આ મોક્ષ સંબંધી અનેક પ્રકારે અસતુ કહ૫નાઓ ઉભી કરી છે તે આશ્ચય છે ! જેમકે- મોક્ષ આમ અભાવ૫ છે. ” “ આ આત્મા નિત્ય મુક્ત જ છે,” “આ આત્માને ભવ્યાધિ લાગેલ જ નથી,” ઈત્યાદિ. આવા બધા વિકલ્પ દષ્ટ-ઈષ્ટ બાધિત હોઈ, વિવેક વિચારથી ક્ષણભર પણ ટકી શકતા નથી. આ સંબંધી વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ શ્રી ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, બત્રીશ બત્રીશી, તવાર્થસાર આદિ મહાગ્રંથરત્નો અવગાહવા ભલામણ છે. અત્ર વિસ્તાર ભયથી દિગ્દર્શનરૂપ નિદેશમાત્ર કર્યો છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે भव एव महान्याधिर्जन्ममृत्युक्किारवान् । विचित्रमोहजननस्तीव्ररागाविवेदनः ॥१८८॥ વૃત્તિ –મય પ–ભવ જ, સંસાર જ, મહાવ્યાધિ-મહાવ્યાધિ છે, કે વિશિષ્ટ ? કે-સન્મમૃત્યુવિરવાન-જમ, મૃત્યુરૂપ વિકારવાળે, આનું જરા આદિ ઉપલક્ષણ છે. વિનિત્રોકનનો વિચિત્ર મોહ ઉપજાવનારો,-ભિઠ્ઠાવના ઉદય ભાવથી, તોડ્યા વિના-તીવ રાગાદિ વેદનાવાળે,-ત્રી આદિના અભિળ્યું ગભાવથી (આસક્તિ ભાવથી).
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy