SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦૪) યોગદષ્ટિસમુચ્ચય જાય છે, અહીં જ તે સાચે “ધર્મસંન્યાસ' યોગી-સંન્યાસી’ બની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દષ્ટિ પૂર્વેને અત્યાર સુધી જે ધર્મસંન્યાસયોગ હતું, તે તાત્ત્વિક હેતે, અતાવિક હતું. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મને સંન્યાસ-ત્યાગ જરૂર હતો. એટલે જ અતાત્વિક છતાં “ધર્મસંન્યાસ’ નામને યોગ્ય હતું તેમજ તે તાત્વિક ધર્મસંન્યાસની યોગ્યતા પામવા માટે પણ આવશ્યક ને ઉપકારી હતા, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તે તાત્વિક ધર્મસંન્યાસચોગ હોય છે. ધર્મ એટલે ક્ષાપથમિક ભાવ, તેને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, માટે તે ધર્મસંન્યાસયોગ અત્રે યથાર્થ પણે પરમાર્થથી હોય છે. તથા— द्वितीयापूर्वकरणे मुख्योऽयमुपजायते । केवलश्रीस्ततश्चास्य निासपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વમાં, મુખ્ય એહ ઉપજત; (તેથી તેને નિરાવરણ નિદયા, કેવલલક્ષ્મી વરત. ૧૮૨. અર્થ –બીજા અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ ગીને નિઃસપન્ના-નિરાવરણ એવી સોદિયા કેવલલી હોય છે. વિવેચન શ્રેણીવત્તી એવા બીજ અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસયોગ ઉપજે છે,-ઉપચરિત તે પ્રમત્ત સંયતથી આરંભીને હોય છે. અને તે ધર્મસંન્યાસના વિનિયોગ થકી આ ગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે કે જે પ્રતિપાતના અભાવે કરીને સદેદયા હોય છે. આ ધર્મસંન્યાસ લેગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત્ તાત્વિક કોટિને ધર્મ સંન્યાસ ક્યારે હોય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય-તાત્વિક ધર્મ સંન્યાસ શ્રેણીમાં આવતા બીજા અપૂર્વકરણ સમયે પ્રાપ્ત હોય છે,–જો કે ઉપચરિતતાત્વિક અતાત્ત્વિક એ ધર્મ સંન્યાસ પ્રમત્તસંયત ગુણસ્થાનથી માંડીને હોય ધર્મસંન્યાસ છે, અને તે અનુક્રમે તાત્વિક ધર્મસંન્યાસ પામવાની યોગ્યતા માટે અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ અતાવિક ધર્મકૃત્તિ – દૂતીયાપૂર્વજળે-દ્વિતીય અપૂર્વકરણમાં, શ્રેણીવત્તી એવા અપૂર્વકરણમાં, મુઘોડથ-મુખ્ય એવો આ ધર્મસંન્યાસ; Evજ્ઞાન્ત–ઉપજે છે, –ઉપચરિત તે પ્રમત્ત સંયતથી આરંભીને ઉપજે છે. દેવશીતત-અને કેવલશ્રી તેથી કરીને-ધર્મ સંન્યાસ વિનિયોગ થકી, અચ-આ પિંગીને, નિ સન્ના-નિઃસ પત્ની, પ્રતિપક્ષ રહિત (નિરાવરણ), સોયા-સદાય, –પ્રતિપાતના અભાવે કરીને.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy