SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૮) એમદરિયામય “જીવ નવિ પુષ્યલી નવ પૂગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પરત ઈશ નહિં અપર એશ્વર્યતા, વસ્તુધમે કદા ન પર સંગી... અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સંગ્રહે નહિં આપે નહિં પર ભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્વાવાદ નિજ ભાવ ભેગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે?...અહ શ્રી સુમતિ તારી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્વ ઈહે; તત્વરંગી થયે દોષથી ઉભ, દેષ ત્યાગે ઢળે તત્વ લહે...અહો ! શ્રી સુમતિ.” શ્રી દેવરાંદ્રજી. આમ શ્રતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપ હોવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, આત્મસ્વરૂપપદ સમજાયું હોવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડ્યું હોવાથીઆ સમ્યગદષ્ટિ યેગી પુરુષને દેહ-ગૃહાદિ બાહ્ય ભાવે-પરપદાર્થો મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સંવેગરંગથી રંગાયેલી હોય છે. ખરેખર ! આત્મારામી સમ્યગદષ્ટિ મહાત્માની દશા પરમ અદ્દભુત હોય છે. જેમકે કર્મબંધની શંકા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિઃશંક આત્મા સમ્યગદષ્ટિ જાણવો. જે કર્મફલેમાં તથા સર્વ ધર્મોમાં કાંક્ષા કરતું નથી, તે નિષ્કાંક્ષ આત્મા સમ્યગદષ્ટિ જાણ. જે સર્વેય ધર્મોમાં જુગુપ્સા કરતા નથી, તે નિઃશંક સમ્યગ નિર્વિચિકિત્સ આત્મા સમ્યગદષ્ટિ જાણુ. જે સર્વ ભાવમાં અસંમૂઢ દષ્ટિ કે હોય? હેઈ સદ્દષ્ટિવાનું છે, તે અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણો. સિદ્ધભક્તિયુક્ત એ જે સર્વ પરવસ્તુના ધર્મોનું ઉપગ્રહન-ગોપન કરે છે, અથવા સર્વ આત્મધર્મોનું–આત્મશક્તિઓનું ઉપબૃહણ કરે છે-વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી–ઉપબૃહનકારી સમ્યગદૃષ્ટિ જાણો. ઉન્માર્ગે જતા પિતાના આત્માને જે માર્ગે સ્થાપે છે તે સ્થિતિકરણયુક્ત આત્મા સમ્યગદષ્ટિ જાણો. મોક્ષમાર્ગને વિષે ત્રણ સાધુઓનું અર્થાત સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રનું જે પોતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એ માર્ગ વત્સલ સમ્યગદષ્ટિ જાણે. વિદ્યારથમાં આરૂઢ થયેલ જે મને રથપથામાં ભમે છે, તે ચેતયિતા–આત્મા જિનાજ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગ્દષ્ટિ જાણવો.” *"जो चत्तारिवि पाए छिददि ते कम्मबंधमोहकरे । સો ળિસંશો જેવા સમરિદ્રી મુળથવ્યો ? –(જુઓ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬. અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા * “ વિમો મળો મમઃ જો રેવાની સો વિખrળાવી સમાવિદો મુળચળ્યો ! –શ્રી સમયસાર,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy