SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરષ્ટિ : આત્માનુભૂતિ શ્રદ્ધા અને સભ્યની વ્યાપ્તિ (૪૬૭) ભૂતિના એક હેતુ હોઈ તે જ પરમ પદ છે-પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુણાના લક્ષ્ય કરાવનાર છે. નિરાક઼ાર અલેક સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે; દન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારે રે....વાસુપૂજ્ય ”—શ્રી આનદઘનજી અને જે આત્માનુભૂતિ-આત્માનુભવ છે તે આત્માના જ્ઞાનિવશેષ છે. આ માત્માનુ ભૂતિના સમ્યક્ત્વની સાથે અન્વય-વ્યતિરેથી અવિનાભાવી સંબધ છે, એક ખીજા વિના ન ચાલે એવા સંબધ છે. અર્થાત્ સમ્યક્ત્વ હોય તે। આત્માનુભૂતિ આત્માનુભૂતિ હોય, આત્માનુભૂતિ હાય । સમ્યક્ત્વ હોય; સમ્યક્ત્વ ન હેાય તે અને સમ્યક આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂતિ ન ઢાય તે સમ્યક્ત્વ ન હોય. ત્વની વ્યાસિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યક્ત્વ તે સ્વાનુભૂતિ છે,તે સ્વાનુભૂતિ જે શુદ્ધ નયાત્મક કેમ તે. અર્થાત શુદ્ધ આત્માના અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમ્મ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યક્ત્વનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે. 66 વળી સમ્યક્શ્રદ્ધાન આદિ ગુણ પણુ સમ્યગ્દર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ:—‘ સત્ત્વાર્થશ્રદ્ધાનું સૂચવીન’-તત્ત્વાર્થં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શોન છે એવું લક્ષણુ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાસ્નાય તત્ત્વાર્થં ગોચર શ્રદ્ધાતના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે—(૧) શ્રદ્દા-તત્ત્વા અભિમુખી મ્રુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા રુચિ-સાત્મ્ય, આત્મભાવ, (૩) પ્રતીતિ તથા ’ તદ્ઘત્તિ ' પ્રેમ સમ્યક્ત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણુ-તેને અનુકૂલ આચરણ-ક્રિયા. આમ ઉત્તરેશત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનતા જ પર્યાય છે; અને આચરણુ મન-વચન-કાયાને શુભ કર્મમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત-છૂટા છૂટા સમ્યગ્દ ́નના લક્ષણુ હાય કે ન પણ હાય, તે સમ્યક્ત્વ સાથે પણ હાય ને મિથ્યાત્વ સાથે પણ હાય, અથવા આ શ્રદ્ધા િસાથે સમ્યગ્દર્શન હેાય કે ન પણ હેાય, એટલે આ શ્રદ્ધાદિ પોતે કાંઈ સમ્યગ્દર્શનના લક્ષણ નથી, પણ જો તે સ્વાનુભૂતિ સહિત હોય તા જ ગુણુ છે-સમ્યગ્દર્શનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણા જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તે। સમ્યક્ત્વ છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યક્ત્વ નથી. તાત્પ કે શ્રદ્ધા આદિ હાય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હોય, તેા સમ્યક્ત્વ નથી; શ્રદ્ધા આદિ હાય અને શુદ્ધ આત્માનુ ભૂતિ હોય તેા સમ્યક્ત્વ છે. આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે—સમ્યક્ અને મિથ્યા. ( ૧ )માત્માનુભૂતિ સહિત હાય તે સમ્યક્ શ્રદ્ધાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધા કહેવા યાગ્ય છે. (૨) આત્માનુ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy