SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) યોગદૃષ્ટિજીવાય દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. ‘ કઇ સમુદ્ર પલટાતા નથી, માત્ર મેાજા` પલટાય છે, તેની પેઠે.' માલ, વૃદ્ધને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ“જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ જીણુ થયેલા દેહને છોડી આત્મા નવા દેહને ગ્રહે છે, ખાળીયુ' બદલાય છે, આત્મા બદલાતા નથી, માટે આત્મા અજર, અમર ને અવિનાશી છે એમ જાણી તું ભય મ પામ. X “ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; ખાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારા તે ક્ષણિક નહિ, કર અનુભવ નિરધાર. કયારે કાઇ વસ્તુના, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તા, કેમાં ભળે? તપાસ.’ —શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભાગ પ્રત્યે આસ્થાવત–આસક્તિ ધરાવતા કાઈ શિષ્ય હાય, તેને મેધ કરવાના પ્રસગે, તેએએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના દીધી કે * – અહા ! આ અનિત્ય ભાગેામાં ત્યારે આસ્થા કરવી ચેાગ્ય નથી. આ બધુ ́ય જગત ક્ષણભ`ગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને શાકથી ભરેલા એવા પ્રિયસયાગ અનિત્ય છે. કુત્સિત આચરણનું સ્થાનક એવુ. યૌવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાએ અનિત્ય છે. અને સભાવના નિધનરૂપ-કારણુરૂપ એવુ' જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનને આશ્રય કરવા પડે છે, એટલે અત્રે સુખ છે નહિં. આમ મા સ`સારમાં બધુય પ્રકૃતિથી પર્યાયપ્રધાન દેશના x " वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । તથા રાતાળિ વિદાય ગીોચાનિ સંચાતિ નવનિ વેદ્દી’--શ્રી ભગવદ્ગીતા " नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा । નટે ફેહેડપ્થામાનું ન નષ્ટ હન્યતે પુષઃ ।।”—શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત શ્રી સમાધિશતક * " अनित्यः प्रियसंयोग इद्देर्ष्याशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ॥ अनित्या: संपदस्तीव्रक्लेशवर्ग समुद्भवाः । अनित्यं जीवितं चेह सर्व भावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मृत्युहींना दिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ॥ प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्मं जगद्वंद्यम कलङ्कं सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः || —શ્રી હરિભદ્રાચાર્ય છકૃત શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તમક ૧.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy