SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ સત્તામાં ભેદ નથી, છતાં અતિભકતોને મેહ! (૩૫૩) ત્રીજું મૂકયું છે, તેનું કારણ આ ગાભ્યાસ શાઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હો જોઈએ; તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એ હો જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હોવું જોઈએ. આમ તત્ત્વપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનું ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણું છે. પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનું, અને પછી ગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હોય તો જ પાછલું શોભે છે. માટે મુમુક્ષુ આગમવચનને દઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક બરાબર સમજીને, તદનુસાર જે રસપૂર્વક યોગાભ્યાસ કરે તો તેને અવશ્ય ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય, એમ તાત્પર્ય છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ, આ અનુક્રમે ત્રણે મળે, તે તત્ત્વકાર્યની સિદ્ધિ સાંપડે. । इति अतींद्रियार्थसिद्धयुपायाधिकारः । UR સર્વજ્ઞ તત્ત્વ અભેદ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર * આ જ અર્થ કહે છે न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्देदाश्रयणं ततः ॥१०२॥ સર્વ બહુ તરવથી, નથી ભિન્ન મતવાસ; ભેદ માનવે મોહ છે, અતિભક્તોને તાસ, ૧૦૨ અર્થ –કારણ કે ઘણું સર્વ તત્વથી ભિન્ન મતવાળા નથી, તેથી કરીને તેના ભેદને આશ્રય કરે તે તેના અતિભક્તોન-દાસને મેહ છે. વૃત્તિ – ૪ તત્વતઃ– તરવથી, પરમાર્થથી, મિત્તમતા -ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, કઈ વાવો –કારણ કે બહુ સર્વજ્ઞો, નોરતાધિમુત્તરીનાં-મેહ છે તેના અતિભક્તોનો. સવતિય શ્રાદ્ધને, તાળ-તેના ભેદને આશ્રણ કરો તે, સર્વના ભેદનું અંગીકરણ, તત્ત:તેથી કરીને. * આ દીપ્રાદષ્ટિનું વર્ણન અનેક હૃદયંગમ શાસ્ત્રીય ચર્ચાવાળું ઘણું લાંબુ હોઈ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અથે અત્રે આ મુખ્ય અધિકારો અને તેના અંતરાધિકારોના વિભાગની રોજના મેં પ્રયોજી છે. –ભગવાનદાસ,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy