SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાતૃષ્ટિ આત્માદ્ધિ અતીન્દ્રિય અથ આગમગેાચર (૩૪૭) છે, જે રૂપને જાણનારા છે, તેને દૃષ્ટિ કેમ દેખી શકશે વારુ ? સ ઇન્દ્રિયેાથી પર એવા અખાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું સ્વરૂપ છે. પ્રત્યેક ઇંદ્રિયને તા પાતપેાતાના વિષય પૂરતું જ જ્ઞાન હાય છે, પણ આત્માને તેા પાંચે ઇંદ્રિયના વિષયનુ ભાન હેાય છે. દેહ તે આત્માને જાણતા નથી, ઇંદ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદૃ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઇંદ્રિય ને પ્રાણ પાતપેાતાના નિયત કાર્યોંમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યત્રને ચલાવનારા યત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જૂદા જ જાય છે, જૂદા જ તરી આવે છે, જે પ્રગટરૂપ ચૈતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એંધાણ છે—આળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા દેહ સમાન ભાસે છે, પણ તે ખન્ને પ્રગટ લક્ષણુ ઉપરથી ભિન્ન છે,− જેમ અસિ ને મ્યાન' ભિન્ન છે—જૂદા છે તેમ. • જે દ્રષ્ટા છે દ્રષ્ટિના ’ “ જે દૃષ્ટા છે દૃષ્ટિના, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્ત્ત જાણુ. સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એધાણ સદાય. ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે ખન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ,, (જુ) શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કચિત્ પણ પ્રસ્તુત શુષ્ક તર્કના વિષય નથી હતા. સુક્કા, નીરસ, વિત'ડાવાદ જેવા કારાધાકેાડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રયેાજનભૃત, ઇષ્ટ સિદ્ધિને નહિ સાધનારા, અને ઉલટા આત્માને હાનિરૂપખાધારૂપ થઇ વ્યામેહ ઉપજાત્રનારા શુષ્ક તને કયે વિચારવંત આત્માથી પુરુષ સેવે ? આદરે ? કઇ વિચારવાન વિવેકી જીવ તે તેને દૂરથી પણ સ્પર્શે જ નહિ'.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy