SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : સવેદ્ય પદ જ યથાર્થ પદ-આત્મસ્વભાવ ૫દ (287) આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનને અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કઈ ભાષા અઘરી, અથવા અર્થ અઘરે નથી કે સ્મરણમાં રાખવું તેમને દુલ્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે : શાસ્ત્રો (લખેલાંનાં પાના) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું છે. કારણ બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વનું તે જ છે. તે પણ હવે બીજા નય પર દષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણ શાહ્યાભ્યાસ હશે તે કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ પામશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસને નિષેધ અહીં કરવાને હેતું નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ.” ઇત્યાદિ.-(જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક 125. (139) तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् / अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते // 74 // તે પદ સમ્યફ સ્થિતિ થકી, ભિન્ન ગ્રંથ્યાદિરૂપ; “વેદ્યસંવેદ્ય શાસ્ત્રમાં, કહ્યું અર્થ અનુરૂપ. 74 અર્થ-તે ભિન્નગ્રંથિ વગેરે લક્ષણવાળું પદ, સમ્યફ અવસ્થાન-સ્થિતિને લીધે, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, શાસ્ત્રમાં “વેદ્યસંવેદ્ય” કહેવાય છે. વિવેચન ઉપરમાં કહ્યા પ્રમાણે, જ્યાં સ્ત્રી આદિ વેદ્ય યથાવસ્થિતપણે, જેમ છે તેમ, સંવેદાય વૃત્તિ –તપુરમ-તે પદ પદન થકી પદરૂપ થવાથી પદ, એટલે આશયસ્થાન, સાગરકથાનાસાધુ અવસ્થાનને લીધે, પરિચ્છેદથી સમ્યફ અવસ્થાનને લીધે, સમ્યફ સ્થિતિથી. મિત્રાચાસ્ત્રિક્ષળમુભિન્નગ્રંથિ આદિ લક્ષણવાળું, ભિન્નગ્રંથિ-દેશવિરતિરૂ૫. શુંતે કે–ચશ્વર્થાત –અન્વથ યોગથી, તંતંત્રમાં, સિદ્ધાંતમાં, વેચવેચમુચત્તે-વેધસંવેદ્ય કહેવાય છે.-આના વડે કરીને વેવ સંદાય છે, એટલા માટે. "
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy