SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪) ગદષ્ટિસમુચ્ચય આદરભાવ ઉપજે, એ પણ ચગબીજ છે, એ પણ મોટી વાત છે. ઉપાદેય ભાવ એટલે કે યોગબીજનું શ્રવણ કરવા યોગ્ય છે, ગબીજની કથા-વાર્તા પણ યોગબીજ સાંભળવા ગ્ય છે, એવી પણ આદરબુદ્ધિ ઉપજવી તે પણ પ્રશસ્ત છે. જિનભક્તિની કથા કે સદગુરુ-સતુશાસ્ત્રને મહિમા સાંભળવા પ્રત્યે આદરભાવ પ્રગટે, તે પણ યોગબીજ છે, કારણ કે સંવેગરંગથી જ્યારે આવો ઉપાદેયભાવ ઉપજે છે, ત્યારે ભાવથી અત્રે સાચી ઇચ્છા ઉત્પન્ન થાય છે, એટલે પછી તે પિતાની શક્તિનો દઢ વિચાર કરીને તેના ગ્રહણમાં પ્રવર્તે છે.* આ ઉપાદેયભાવ પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ હવે જોઈએ. એટલે કે આ લેક-પરલેક સંબંધી કોઈ પણ પ્રકારના ફલની ઉત્સુકતા વિનાનો, ઉતાવળે ફળપ્રાપ્તિની આકાંક્ષા-ઇચ્છા વિનાનો, નિષ્કામ હોવો જોઈએ. કારણ કે સર્વ કાર્યમાં ધીરજની પ્રથમ જરૂર છે. “ઉતાવળે આંબા પાતા નથી.અને આવા નિરુત્સુક નિષ્કામ શુદ્ધ ઉપાદેયભાવનું ફલ પણ મહદયરૂપ અવશ્ય હોય છે, મોટા અભ્યદયનું કારણ હોય છે. કારણ કે તે મોક્ષના સાધનરૂપ છે, એટલે આનુષંગિકપણે-સાથે સાથે પુણ્યોપાર્જનના ફળરૂપે ઉત્તમ દેવાદિ ગતિરૂપ અભ્યદયની પ્રાપ્તિ પણ થાય, એ કાંઈ મોટી નવાઈની વાત નથી. જેમ જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ ઇંદ્રપણું-ચક્રવત્તિ પણું એ વગેરે પુ રા , મોક્ષસાધનના આનુષગિક ફળરૂપે સાંપડે છે. આમ આ ગબીજના શ્રવણ પ્રત્યેને ઉપાદેયભાવ પણ છેવટે પરમ કલ્યાણકારી થાય છે, તે પછી શ્રી સત્પુરુષની, સદ્ગુરુની ને તેમણે બેધેલા સન્માર્ગની ભકિત તે કેટલી બધી કલ્યાણકારી થાય? ગુણ અનંત હે પ્રભુ ! ગુણ અનંતને વંદ, નાથ હો પ્રભુ ! નાથ અનંતને આદરે છે; દેવચંદ્ર હો પ્રભુ ! દેવચંદ્રને આનંદ, પરમ હે પ્રભુ ! પરમ મહદય તે વરે છે.” “નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મનમેહના રે લાલ૦ કરજે જિનપતિ ભક્તિ રે ભવિબેહના રે લાલ. દેવચંદ્ર પદ પામશે રે....મન. પરમ મહોદય યુક્તિ રે ભવિ” શ્રી દેવચંદ્રજી આમ આ મિત્રાદષ્ટિમાં આટલા ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થાય છેઃ (૧) જિને પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, સંશુદ્ધ પ્રણમાદિ. (૨) ભાવગી એવા ભાવાચાર્ય-ભાવસાધુ આદિ પ્રત્યે કુશલચિત્તાદિ. (૩) ભાવાચાર્ય–ભાવસાધુ આદિની વૈયાવચ્ચ-સેવા. (૪) સહજ એવો ભવઉદ્વેગ-અંતરંગ વૈરાગ્ય, (૫) દ્રવ્ય અભિગ્રહ પાલન. () સિદ્ધાન્તના લેખનાદિલેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતન, ભાવના. () બીજકથાનું શ્રવણુપ્રતિ સ્થિર માન્યપણું. (૪) તેને શુદ્ધ ઉપાદેયભાવ. આમાનું એકેક ગબીજ પણ પરમ ઉત્તમ છે, તે પછી તે સમસ્ત સાથે મળ્યા * “વહેતાં જ્ઞાવા લંકાતે છેડત્ર આવતઃ | ૐ મિત્રો ને સંત્રવર્તતે ” –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત ધર્મબિન્દુ.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy