SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (ા . ૧૨-૨૦) [ આઠ યોગદષ્ટિના નામ—ઘદૃષ્ટિ ને યોગદષ્ટિ–ઉપમા. આઠ યોગાંગ, આઠ આશયદેષ, આઠ ગુણ. દષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ.-પ્રતિપાતી કે અપ્રતિ પાતી ? પ્રતિપાવી તે સાપાય, અપ્રતિપાતી તે નિરપાય.—મુક્તિ અતિ અખંડ પ્રયાણ.] એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયોગી કહે છે – एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજન્ય; યોગદષ્ટિ કહું આઠ તે, સામાન્યથકી મન્ય. ૧૨, અર્થ –એ ત્રણ રોગને આશ્ચય કર્યા વિના, વિશેષ કરીને એમાંથી જ ઉદ્દભવ પામેલી (નીકળેલી) એવી ગદષ્ટિઓ કહેવામાં આવે છે. અને તે દ્રષ્ટિએ સામાન્યથી આઠ છે. વિવેચન ઉપરમાં જે ઇચ્છાગ વગેરે ત્રણ યોગનું સ્પષ્ટ વર્ણન કર્યું, તેને સીધેસીધે આશ્રય કર્યા વિના, પણ વિશેષ કરીને એ ત્રણ યોગમાંથી જ નિષ્પન્ન થતી–નીકળતી, એવી ચોગદષ્ટિએનું અહીં કથન કરવામાં આવે છે, અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યોગદષ્ટિએ એ ત્રણ પેગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ગદષ્ટિરૂપ નદીઓ તે યોગ-પર્વતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એને ગાઢ સંબંધ છે, અને એટલા માટે જ આ યોગદષ્ટિની વૃત્તિ-તત્રયમ–એ ત્રણને, એટલે ઈચ્છાયેગ, શાસ્ત્રગ અને સામર્થ્યોગને, અરાશ્રિત્ય-આશ્રય કર્યા વિના, અંગીકાર કર્યા વિના, વિશા -વિશેષથી, “આમાંથી આ’ એવા લક્ષણવાળા વિશેષ કરીને. શું ? તે કે પતદુદ્વા -એમાંથી ઉદ્દભવ પામેલી, એ ત્રણ વેગમાંથી જ ઉપજેલી, નદષ્ટ ૩યન્ત-યોગદષ્ટિએ-મિત્રા આદિ કહેવામાં આવે છે. શબ્દો સામાન્યરતુ તા –અને સામાન્યથી તે દષ્ટિઓ આઠ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy