SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનિકાયના રક્ષક, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ અષ્ટપ્રવચન માતાના પાલક એ સાધુ છે. g) આચાર્ય - જે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય આ પાંચ આચારોનું સ્વયં પાલન કરે અને બીજા સાધુઓ પાસે પાલન કરાવે, ચતુર્વિધ સંઘના નાયક છે, ૩૬ ગુણોથી યુક્ત છે એ ‘આચાર્ય' છે. h) ઉપાધ્યાય - જેમને ૧૧ અંગ અને ૧૪ પૂર્વનું જ્ઞાન છે અને બીજા સાધુઓને ભણાવે છે એવા ૨૫ ગુણોંથી યુક્ત મુનિ તે ઉપાધ્યાય' છે. 1) પ્રવચન - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ તે પ્રવચન કહેવાય છે. j) દર્શન - જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ, સુદેવ-સુગુ-સુધર્મની રૂચિ, શ્રદ્ધા એ સમ્યગુદર્શન છે તે દર્શન ક્ષાયિક, લાયોપમિક અને ઓપશમિક એમ ત્રણ પ્રકારના છે. આ દસ પદો જૈન શાસનના આરાધ્ય પદો છે. એમનો વિનય કરવો એ સમ્યત્વનું અંગ છે. સમ્યગુદૃષ્ટિ આત્માઓ આ દસ પદોનો પાંચ પ્રકારે વિનય કરે છે. તે વિનયથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ દીપી ઉઠે છે અને સમ્યક્ત્વ અપ્રાપ્ત હોય તો પ્રાપ્ત થાય છે. તે વિનય કરવાના પાંચ પ્રકારો આ પ્રમાણે છે – ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવર્ણવાદનો ત્યાગ, આશાતનાનો પરિહાર. ૧) ભક્તિ - આદરયુક્ત વ્યવહાર એ ભક્તિ છે. ગુરુ આવે ત્યારે ગુરુની સન્મુખ જવું, આસન આપવું, નમસ્કાર કરવો, તેમની સેવા કરવી વગેરે. ૨) બહુમાન - મનથી અત્યંત પ્રીતિ. ગુરુ ભગવંતના દર્શન માત્રથી જ પરમ આનંદ થાય, ઉલ્લાસ આવે, પૂજ્યભાવ પ્રગટે. ૩) ગુણસ્તુતિ - અરિહંત પરમાત્માની ગુણસ્તુતિ કરવાથી, તેમણે પ્રરૂપેલા ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતની પ્રશંસા કરવાથી, ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૫૫
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy