SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (ક) પરમાત્મા : ઘાતી કર્મનો નાશ થતાં કેવળજ્ઞાન – સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. તેથી નિર્વાણ ભાવને પ્રાપ્ત થયેલા આત્માને પરમાત્મ-ભાવદશા પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મસ્વરૂપનો જે ઉપયોગ છે એ અધ્યાત્મયોગ કહેવાય છે. (૨) ભાવના : આત્માને ઉન્નત કોટિ પર ચડાવવા અનિત્યાદિ બાર ભાવના આગમોમાં કહેલી છે. અનિત્યા - Sરારા - સંમાર - ત્વા - ઙચા -ઽચિત્તા-ડઽસ્ત્રવસંવર - નિર્નશ - હોજ - વોધિતુર્તમ - ધર્મસ્વાદ્યાત્ - તત્ત્વાનુચિત્તનમનુપ્રેક્ષા: ।।o-૭।। ઉમાસ્વાતિજી વિરચિત ‘તત્ત્વાર્થસૂત્ર’માં એવી જ રીતે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ પણ આત્માને ઉત્તમ શ્રેણીએ ચઢાવે છે. આ બધી ભાવના આત્મસમાધિમાં ઉપયોગી હોવાથી એ યોગના અંગ છે. ૪૪ (૩) ધ્યાન : કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. ધ્યાનની અલગ અલગ પરિભાષાઓ મળે છે - શ્રી સમવાયાંગ સૂત્રમાં એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત કાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે. શ્રી ઉમાસ્વાતિજી વિરચિત તત્ત્વાર્થસૂત્રમાં એકાગ્ર ચિંતાનિરોધ અર્થાત્ કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતાને ધ્યાન કહેલું છે. શ્રી પતંજલિ ૠષિએ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને ધ્યાન કહ્યું છે. ધ્યાનના બે પ્રકા૨ છે ઃ શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. શુભ ધ્યાનના પાછા બે ભેદ છે. ધર્મધ્યાન – પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય, તત્ત્વચિંતન, રત્નત્રયી અને સંયમ આદિમાં મનને પરોવવું એ ધર્મધ્યાન છે. ધર્મધ્યાનના ચાર ભેદ છે. આજ્ઞા-વિચય, અપાય-વિચય, વિપાક-વિચય અને સંસ્થાન વિચય. શુક્લધ્યાન - રાગાદિ વિકલ્પ નષ્ટ થયા પછી આત્મામાં જે નિર્વિકલ્પધ્યાનની પ્રાપ્તિ થાય છે એ શુક્લધ્યાન કહેવાય છે. એના ચાર ભેદ છે. પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વ વિતર્કઅવિચા૨, સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધર્મધ્યાન અને શુક્લધ્યાન જે આત્માને ઉચ્ચ શ્રેણીએ લાવે છે. અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy