________________
જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અંતરાત્મભાવને પ્રાપ્ત કરે અને અનુક્રમે ઉત્તમ પુરુષાર્થસહિત અપ્રમાદિભાવે ચારિત્રયોગ વડે પરમાત્મભાવને પ્રાપ્ત કરે. આવો યોગમાર્ગ આ ગ્રંથમાં નિરૂપણ કરેલો છે.
આ યોગમાર્ગ એટલે મોક્ષ તરફ ગમન કરવામાં ઉપયોગી સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ યોગ.
પ૨૭ શ્લોકોમાં સંસ્કૃતમાં લખાયેલો આ ગ્રંથ છે. આચાર્ય હરિભદ્રસૂરિ યોગમાર્ગના ભેદને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં
કહે છે
अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । મોક્ષે યોગનાથોના શ્રેષ્ઠો યથોત્તરમ્ પારૂશા યોગબિંદુ
જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)ના પાંચ અંગો છે. આ સકલક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગશ્રેષ્ઠ યોગ છે. (૧) અધ્યાત્મ : આત્માના ત્રણ પ્રકાર અવસ્થાભેદે કહ્યા છે – (અ) બાહ્યાત્મા
(બ) અંતરાત્મા (ક) પરમાત્મા (અ) બાહ્યાત્મા : બાહ્ય એટલે પાંચ ઇન્દ્રિયો તથા મનની સહાયતાથી થતો વિષયોનો બોધ. આ બોધથી જીવ શારીરિક ભોગ માટેના વિષયો જેવા કે ધન, સંપત્તિ, કુટુંબ-પરિવાર વગેરેમાં આસક્ત બને છે. આવો બાહ્યાત્મક ભાવ હોય ત્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ યોગમાં જીવ પ્રવૃત્તિ કરે છે. (બ) અંતરાત્મા જ્યારે યથાપ્રવૃત્તિરૂપ વૈરાગ્યમય પરિણામ થાય છે ત્યારે અપૂર્વકરણરૂપ પરિણામથી ગ્રંથભેદ કરી સમ્યકત્વરૂપ પરિણામ પામે છે. અને અપ્રમત્તભાવે સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતાં ગુણશ્રેણીમાં આગળ આગળ ચઢે છે. મોહનીય, દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અંતરાય આ ઘાતી કર્મોનો નાશ કરવા માટે પ્રવૃત્તિ કરાય છે. આત્માની આ અવસ્થાને અંતરાત્મા કહેવાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૩