SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઓ કાયમ ઊઠતી હોય છે. આ ચિત્તવૃત્તિઓ ક્લિષ્ટ અને અશ્લિષ્ટ એમ બે પ્રકારની હોય છે. ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવો તે સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે, જ્યારે અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે અસંપ્રજ્ઞાત યોગ કહેવાય છે. યોગસાધના માટે આ પાંચે વૃત્તિઓનો નિરોધ કરવો આવશ્યક છે. કારણ કે પાંચે વૃત્તિઓ ચિત્તને વારંવાર બહાર ઘસડી જાય છે. એટલે વૃત્તિઓના નિરોધથી ઇન્દ્રિયો પરાજિત થાય ત્યારે દૃષ્ટા આત્માસ્વરૂપમાં સ્થિર થાય. ઉપાધ્યાય યશોવિજયજી પતંજલિ ઋષિએ કહેલ યોગલક્ષણને અધૂરો બતાવે છે. તે કહે છે - “ વિષ્ણચિત્તવૃત્તિનિરોથો યો :” એ લક્ષણ યોગ્ય છે. ક્લિષ્ટ અર્થાત્ રાજસ અને તામસ વૃત્તિથી યુક્ત જે ચિત્તવૃત્તિ હોય તેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ધર્મ-વ્યાપારથી રોકવી અથવા આસવનો નિરોધ કરવો તે સંવરરૂપ યોગ છે. “समितिगुप्तिसाधारणधर्मव्यापारत्वमेव योगत्वम् ” પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ સાધારણ ધર્મનો વ્યાપાર જે ક્રિયાનુષ્ઠાનમાં સંભવતો હોય તે યોગ છે. એવી જ રીતે હરિભદ્રસૂરિ ‘યોગવિંશિકા'માં કહે છેमुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो ।।१।। યોગવિંશિકા મોક્ષમાર્ગમાં જે યોજના કરાવે તે સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર તે યોગ કહેવાય છે. આવી રીતે ધર્મવ્યાપાર આદરવો અને સમિતિ, ગુપ્તિ વડે આસવનો નિરોધ કરવો તે યોગ વડે ચિત્તની ક્લિષ્ટ પ્રવૃત્તિ રોકાય છે, અનુક્રમે અક્લિષ્ટ પ્રવૃત્તિ પણ રોકાય છે. જેથી આત્મા નિર્વાણ પદ પ્રાપ્ત કરી શકે છે. પાતંજલ મત પ્રમાણે ચિત્તના પાંચ પ્રકાર છે – ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એમની માન્યતા પ્રમાણે માત્ર એકાગ્ર અને નિરુદ્ધ દશામાં જ સમાધિ અર્થાત્ યોગ હોય છે. વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો ફક્ત આરંભ જ હોય છે અને ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં તો વ્યુત્થાન દશા જ છે. આ ત્રણેય અવસ્થાઓ સમાધિમાં ઉપયોગી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ આ બે જ ચિત્તદશા સમાધિમાં ઉપયોગી થાય છે કારણ કે તેમાં સત્ત્વગુણનો અતિરેક હોય છે અને અહીં ચિત્ત લાંબા સમય સુધી દીપકની જેમ સ્થિર થઈ શકે છે. ચિત્ત એકાગ્ર હોય તેને જ 'જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ ૨૮૯
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy