________________
કરી, સાંખ્ય વિચારધારાને અનુકુળ બનાવી એક વ્યવસ્થિત રૂપ આપ્યું છે. યોગશાસ્ત્ર આપણને ચિત્તના સ્વરૂપનું જ્ઞાન આપે છે અને ચિત્તને કેમ વિશુદ્ધ કે અને સ્થિર કરવું તેનું વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે. મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ, ચિત્તની શક્તિઓનો વિકાસ, ધ્યાન અને એકાગ્રતા અને સમાધિની સાધના એ યોગના મુખ્ય વિષયો છે. યોગશાસ્ત્રમાં યોગ એ ચિત્તવૃત્તિના નિરોધની કે ચિત્તને અંકુશમાં રાખવાની એક પદ્ધતિ છે, સમાધિ સુધી પહોંચવાની એક પ્રક્રિયા છે.
યોગશ્ચિત્તવૃત્તિનિોઘઃ ।।શ્।। યોગસૂત્ર
પતંજલિ ૠષિએ વિવિધ દર્શનોમાંથી ઉત્તમ અને ઉપયોગી તત્ત્વો સંગ્રહિત કરીને યોગશાસ્ત્રને જાણે સર્વદર્શન-સમન્વય બનાવ્યું છે. જેમ કે સાંખ્ય નિરીશ્વરવાદી છે. પરંતુ લોકમાનસનો ઈશ્વરોપાસના ત૨ફનો ઝોક જોઈને યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને પણ સ્થાન આપ્યું છે.
શ્ર્વરપ્રણિધાનાદા ।।૨.૨૩।। યોગસૂત્ર ઈશ્વરનું સ્વરૂપ તેમણે એવી નિષ્પક્ષ રીતે રજૂ કર્યું છે જે બધાને માન્ય થઈ
શકે.
વહેરા મંવિપાળારાયપરકૃષ્ટ પુરુષવિરોષ Íશ્ર્વરઃ ।।o.૨૪।। યોગસૂત્ર
સર્વ દર્શનોની અપેક્ષાએ જૈન દર્શન સાથે તેનું સાદશ્ય ઘણું જોવા મળે છે. ‘પાતંજલ યોગદર્શન’ગ્રંથનાં ચાર પાદ અથવા પ્રકરણ છે. પહેલું પ્રકરણ સમાધિપાદ છે, જે ઉત્તમ અધિકા૨ીઓ માટે છે. અહીં બંને પ્રકારની સમાધિ–સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ-નું નિરૂપણ કરેલું છે. સમાધિના પ્રકાર, તેની પ્રાપ્તિના ઉપાયો તથા ચિત્તની અવસ્થાઓનું વર્ણન છે. પ્રથમ પાદમાં સૌ પ્રથમજ યોગનું લક્ષણ બતાવેલું છે –
યોગશ્ચિત્તવૃત્તિનિોઘઃ ।।o.૨।। પાતંજલ યોગસૂત્ર
અર્થ : ચિત્તની વૃત્તિઓનો નિરોધ ક૨વો અર્થાત્ ચિત્તની વૃત્તિઓને રોકવી એનું નામ યોગ છે.
પ્રકૃતિના સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણોમાંથીપ્રકાશ-સ્વભાવવાળા
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૭૬