________________
૨. અપૂર્વકરણ : રાગદ્વેષની ગાંઠને ભેદવાના તીવ્ર વીર્ષોલ્લાસ. યથાપ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી રાગદ્વેષની નિબિડ ગાંઠને કાપે એ ગ્રંથિભેદ છે. અહીં પહેલા કોઈ વખત ન થયો હોય એવો સુંદર અધ્યવસાય જેનાથી રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થાય. ૩. અનિવૃત્તિકરણ : સમ્યકત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયો. અપૂર્વ વર્ષોલ્લાસના પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી પ્રાણી અંતર્મુહૂતમાં જ અનિવૃત્તિકરણમાં પ્રવેશી અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અપૂર્વકરણ કરતી
વખતે જે નિર્મળતા થઈ હતી તે કરતા પણ વધારે નિર્મળતા થાય. 4. से सुयं च मे अज्झत्थयं च मे, बंधपमोक्खो अज्झत्थेव
પ. ૨.૪. આચારાંગ સૂત્ર અર્થ : મેં જ્ઞાની ગુરૂ પાસેથી સાંભળ્યું છે, અધ્યવસિત - અનુભવિત કર્યું છે કે કર્મોનો બંધ અને મોક્ષ આત્મપરિણામોથી, અધ્યવસાયની મુખ્યતાથી થાય છે.
5. પૃ.૨૩ યોગદીપક - યોગસમાધિ લેખક : શ્રી. બુદ્ધિસાગરસૂરિ 6. પૃ.૩૪૯ “યોગદીપક 7. જૈન દર્શન પ્રમાણે ત્રણે કાળ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) રહે એવો
આત્મા દ્રવ્યપણે નિત્ય છે. અનંત ગુણ પર્યાયવાળું તે દ્રવ્ય. તે ત્રણે કાળ રહેનાર વસ્તુ છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે પરંતુ આત્માના ગુણોનું સમયે સમયે પરિણમન થાય છે તેથી પર્યાય પલટાય છે. પણ તે દ્રવ્ય સ્વરૂપમાં તો નિત્ય છે. એની ઉત્પત્તિ કોઈપણ અન્ય દ્રવ્યથી થતી નથી અને આત્માનો
નાશ પણ ક્યારેય થતો નથી. 8. શ્રુતકેવલી - દ્વાદશાંગી રૂ૫ સમસ્ત શ્રુતજ્ઞાનને ધારણ કરવાવાળા મહર્ષિને
શ્રુતકેવલી કહેવાય છે. શ્રુતકેવળી સર્વ આગમના જ્ઞાતા હોય છે. 9. પૃ.૧૭૬ આચારાંગ સૂત્ર ૫ અધ્યયન, રજો ઉદ્દેશ્યક, ૧ સૂત્ર
૨૭૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )