________________
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ – પ્રેક્ષાધ્યાન પ્રસ્તાવના :
ભારતમાં મુખ્ય ત્રણ પરંપરાઓ છેઃ વેદિક, જૈન અને બૌદ્ધ . આત્મસાક્ષાત્કાર માટે, આત્માનું સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી પરમાત્માપદ પ્રાપ્ત કરવા માટે દરેકને પોતાની સાધનાપદ્ધતિઓ છે જે યોગસાધના આ બે શબ્દોમાં સમાઈ જાય છે. સાંખ્યદર્શનની પદ્ધતિ “અષ્ટાંગયોગ તરીકે જાણીતી છે. જૈન ધર્મની સાધનાપદ્ધતિ સ્વતંત્ર છે. તેરાપંથ ધર્મસંઘના આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમિક આધાર અને પ્રયોગોની મદદથી એનું પુનર્મુલ્યાંકન કર્યું અને જેન યોગના રૂપમાં એક સ્વતંત્ર સાધનાપદ્ધતિ વ્યવસ્થિત રીતે નિર્માણ થઈ જે આજે પ્રેક્ષાધ્યાન સાધનાના નામથી પ્રચલિત બની છે. આ પ્રેક્ષાધ્યાનની પૂરી પ્રક્રિયા જ “જેન યોગ છે.
જૈન દર્શનમાં યોગ” શબ્દનો પ્રયોગ સાધનાના અર્થમાં આગમોમાં થયેલો છે. “આવશ્યક સૂત્ર” જે ચાર આગમગ્રંથોમાંનું એક છે એમાંના શ્રવણસૂત્રમાં ૩૨ પ્રકારના યોગ સંગ્રહના નિર્દેશમાં ૨૮મો જ્ઞાપન-સંવર-ગોnોય એ ધ્યાનનો ૨૮મો યોગ સંગ્રહ છે. જે ધ્યાન - સમાધિરૂપ યોગપ્રક્રિયાનો સૂચક છે. ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને અંતરાત્મરૂપ પરિણત થાય છે.
ધ્યાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. શુક્લધ્યાનની સાધના કર્યા સિવાય કોઈ સાધક કેવળજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. વીતરાગ બની શકતો નથી. ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાનની વિશિષ્ટ ભૂમિકા સુધી પહોંચવું જરૂરી છે. જે સાધક મહાપ્રાણ ધ્યાનની સાધના કરે છે એ અંતર્મુહૂર્તમાં ચૌદ પૂર્વનું પુનરાવર્તન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. ભગવાન મહાવીરના આઠમા પટ્ટધર આચાર્ય ભદ્રબાહુશ્રુતકેવલીના પરંપરામાં પાંચમા સ્થાને હતા. એ આ મહાપ્રાણધ્યાનની સાધના કરવા નેપાલ ગયા હતા. એવી જ રીતે મહાવીર ભગવાનના ઉત્તરકાલીન પરંપરાના ધ્યાન સાધકોમાં દુર્બલિકા પુષ્પમિત્રનું નામ મહત્ત્વપૂર્ણ છે જે વીર નિર્વાણની છઠ્ઠી-સાતમી શતાબ્દીમાં થયા હતા. ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી કેવળજ્ઞાનપ્રાપ્તિ સુધીના એમના સંપૂર્ણ સાધના કાળમાં
૨૫૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની