________________
મુક્તિ-પ્રાપ્તિ માટે વિશિષ્ટ યોગમાં પ્રવેશ કરવા પહેલાં પ્રાણી તેના ઉપાયોની સેવા કરે છે. વ્યાધિ મટાડવા જેમ ઔષધની સેવા કરવી પડે છે તેમ સંસારવ્યાધિ મટાડવા માટે પૂર્વસેવા કરવાનું કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિ ‘યોગબિંદુ ગ્રંથમાં યોગમાં પ્રવેશ કરનારે ભૂમિકા તૈયાર કરવાને માટે પૂર્વસેવાના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) દેવગુરૂપૂજન (૨) સદાચાર (૩) તપ (૪) મોક્ષ-અદ્વેષ
આનંદઘનજી સંભવનાથના સ્તવનમાં કહે છે કે તમારે યોગપ્રાપ્તિ કરવી હોય તો એના યોગ્ય ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે. એના માટે એ ત્રણ વિશેષણો વાપરે છે – અભય, અદ્વેષ, અખેદ.
યોગમાં પ્રવેશ કરનાર યોગના સેવન માટે ભૂમિકા તૈયાર કરવા “અભય”ને અગ્રસ્થાન આપ્યું છે. એણે નિર્ભયપણે કેળવવાની જરૂર છે.
બીજું સ્થાન આવે છે “અદ્વેષ’નું. ‘અષ' એટલે હરિભદ્રસૂરિયોગપૂર્વસેવામાં “મોક્ષ-અષ' કહે છે તે દર્શાવ્યો છે. અદ્વેષ એટલે અરુચિપણાનો અભાવ. ઉપાધ્યાય યશોવિજય અગિયારમા પાપસ્થાનક ‘ષ’ની સક્ઝાયમાં કહે છે – યોગનું અંગ અદ્વેષ છે પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું લાલન,
તેહથી વહેલું અષ્ટાંગ યોગનું સાધન કરવા ઈચ્છનારને પ્રથમથી જ અષી થવું જરૂરી છે. અદ્વેષમય ભૂમિકા તૈયાર કરવાની ખાસ જરૂરિયાત પર સર્વ યોગીઓએ ભાર મૂક્યો છે. ધર્મ તરફ અરૂચિપણાનો અભાવ, મોક્ષ તરફ તિરસ્કારનો અભાવ એને અદ્દેષ કહ્યું છે.
ત્રીજું વિશેષણ ‘અખેદ’ આપ્યું છે. આ ભૂમિકામાં શુભ ક્રિયાને અંગે થાક ન લાગવો, એનો કંટાળો ન આવવો જોઈએ. આપણે જે રોજની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચૈત્યવંદન, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક કરીએ એમાં કંટાળો ના લાવતાં ઉલ્લાસ ભાવ આવવાનો નિર્દેશ કરેલો છે.
આનંદઘનજી આ સ્તવનમાં કહે છે કે યોગમાર્ગમાં, મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો આવી રીતે ભૂમિકા તૈયાર હોવી જોઈએ.
આવી રીતે ભૂમિકાશુદ્ધિ થાય ત્યારે પ્રાણી યોગમાર્ગે પ્રગતિ કરતાં જ્યારે ચરમાવર્ત એટલે છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં પ્રવેશે, અનાદિકાળ ચક્રમાં ભમતાં,
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૭