________________
અર્થ : આજ્ઞા, અપાય, વિપાક તથા સંસ્થાન આ ચારેનો અનુક્રમે ભિન્ન ભિન્ન વિચય અર્થાત્ વિચાર કરવો એ ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. ધર્મધ્યાનના ચાર ભેદ નીચે પ્રમાણે છે. (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય (૪) સંસ્થાનવિચય. વિચયનો અર્થ વિચાર અથવા ચિંતવન કરવો.
(૧) આજ્ઞા વિચય ધર્મધ્યાન ઃ જે ધ્યાનમાં સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે પદાર્થોનો, તત્ત્વસમૂહનો જે અનંત ગુણ પર્યાયસહિત, ત્રયાત્મક અર્થાત્ ઉત્પાદુ, વ્યય અને ધ્રૌવ્ય સંયુત અને ચેતન, અચેતનરૂપ જેનું લક્ષણ છે એનું સમ્યક્ પ્રકારે ચિંતવન કરાય એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
(૨) અપાયરિચય ધર્મધ્યાન ઃ જે ધ્યાનમાં એવું ચિંતવન થાય છે કે જીવે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતે ઉપદેશ કરેલો સમ્યગ્દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યમ્ ચારિત્રરૂપ અર્થાત્ રત્નત્રયીને પ્રાપ્ત ન કરી આ સંસારચક્રના જન્મમરણના ફેરામાં ફરવું પડે છે અને ઘણાં દુઃખ ભોગવવા પડે છે. અનાદિ કાળથી રાગદ્વેષ, કષાય અને મિથ્યાત્વથી કર્મબંધ થયેલ છે જેના કારણે આ દુઃખ ભોગવવાં પડે છે. તો આ કર્મબંધનું કેવી રીતે નિવારણ થઈ શકે?
(૩) વિપાકવિય ધર્મધ્યાન: વિપાક એટલે ફળ. જીવના પોતાના ઉપાર્જન કરેલા કર્મના ફળનો જે ઉદય થાય છે તેને વિપાક કહ્યું છે. આ કર્મોદય પ્રત્યેક ક્ષણે ક્ષણે હોય છે. એના જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર છે.
(૪) સંસ્થાનવિય ધર્મધ્યાન ઃ સંસ્થાન એટલે આકાર. આ ધ્યાનમાં લોકમાં તથા લોકમાં રહેલ દ્રવ્યોના આકાર/સ્વરૂપનું ચિંતવન તથા એ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાદિ પર્યાયોનું ચિંતવન કરાય છે. આ લોક જે ચૌદ રાજલોક પ્રમાણ છે અને ઊર્ધ્વ, અધો અને મધ્યલોક એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. અધોલોક નારકીના જીવોનું અને ભવનપતિ દેવોનું નિવાસસ્થાન છે. એ નરકભૂમિ અને નારકીના જીવોને ભોગવવા પડતાં અસંખ્ય દુઃખોનું વર્ણન છે. એના પછી મધ્યલોક જ્યાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર અને મનુષ્યક્ષેત્ર છે એનું સંક્ષેપમાં વર્ણન કરેલું છે. ઉપર ઊર્ધ્વલોક છે જ્યાં વૈમાનિક જાતિના દેવો રહે છે. સૌથી ઉપર જે અનુત્તર વિમાનો છે એના ઉપર સિદ્ધશીલા છે જ્યાં સર્વ કર્મોનો ક્ષય કરી અનંત આનંદ અને ચૈતન્યથી યુક્ત એવા સિદ્ધ ભગવંતો બિરાજે છે આવી રીતે લોકના
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ
૨૦૭