________________
થયાં છે, એટલે જ કે કાર્મણ-વર્ગણાના પરમાણુઓ આત્માથી બહાર છૂટા પડે છે એને વાયુ ઉડાડીને બહાર લઈ જાય છે એમ ચિંતવવું.
વારૂણી ધારણા : આ ધારણામાં વાદળાઓથી ભરેલ આકાશમાં અર્ધચંદ્રાકાર વરૂણ બીજ (જં) ચિંતવવું. તે વરૂણ બીજથી ઉત્પન્ન થયેલા અમૃતસમ વરસાદના પાણીથી વાયવી ધારણાથી ઊડેલી રાખ ધોઈ નખાય છે. એટલે આત્માથી છૂટા પડેલા કાર્મણ-વર્ગણાના અશુદ્ધ પરમાણુઓ આ વરસાદના પાણીથી શુદ્ધ થાય છે. આવી રીતે ઉપરની ધારણાઓથી આત્માની શુદ્ધિ થતી જાય છે.
તત્ત્વમ્ભ ધારણ : ઉપરની ધારણાઓથી આત્માનું શુદ્ધીકરણ થાય પછી એમ ચિંતવવું કે અનાદિકાળથી કર્મોથી ભરેલો આત્મા શુદ્ધ થયો છે. હું શુદ્ધ ચેતન આત્મા છું. મારામાં અનંત જ્ઞાન, અનંત દર્શન એમ અનંત ગુણો ભરેલા છે. હું પોતે શુદ્ધ ચેતનસ્વરૂપ, તત્ત્વસ્વરૂપ છું.
આવી રીતે પિંડસ્થ ધ્યાનનો હંમેશાં અભ્યાસ કરનાર યોગી મોક્ષસુખનો અધિકારી બને છે. આગળ પિંડસ્થ ધ્યાનના અભ્યાસનું ફળ બતાવતાં કહે છે એનાથી મંત્ર, માયા, શક્તિ, દુષ્ટ વિદ્યાઓની અસર થતી નથી. આ ધ્યાનના અભ્યાસથી મન અને ચિત્તને એકાગ્ર કરી શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે.
આઠમો પ્રકાશ : આ ધ્યાનનું મુખ્ય આલંબન “શબ્દ” છે. પવિત્ર પદોનું આલંબન લઈને જે ચિંતવન કરાય છે તે પદસ્થ ધ્યાન છે. અનેક પ્રકારે પદમયી દેવતા મંત્રરાજ કËનું ધ્યાન, પંચપરમેષ્ઠિનું ધ્યાન, પ્રણવનું ધ્યાન કરી શકાય છે.
પ્રણવનું ધ્યાન : પ્રણવ એટલે નું ધ્યાન. પ્રણવના પણ જુદા જુદા ભેદો કરેલા છે. હૃદયના મધ્યમાં કમળ સ્થાપી એના વચ્ચે ૩ઝને સ્થાપવો. ૩ઝકાર પંચપરમેષ્ઠિ વાચક છે. ૐકારના ઉપરની ચંદ્રકલામાંથી અમૃતરસ ઝરી રહ્યો છે અને એમાં હું ભીંજાઈ રહ્યો છું એમ ચિંતવવું. મારા કર્મો ધોવાઈ રહ્યાં છે અને આત્મા શુદ્ધ થઈ રહ્યો છે.
પંચપરમેષ્ઠિનું ધ્યાન ઃ હવે ઉજ્જવળ એવા સ્ફટિક રત્ન જેવો શાંત કાર આવી જાય એટલે એના પર મહાપવિત્ર પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું અની સાથે ને જોડવું.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૭