SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ એકીકરણ થવું જોઈએ. ધ્યાનમાં મન, વચન અને કાયા ત્રણે પરોવાય. આસનથી કાયયોગની સ્થિરતા થાય. મૌનથી વચનયોગ સિદ્ધ થાય પછી મનને ધ્યેય એટલે કે ૫૨માત્મા અથવા પોતાના સ્વરૂપમાં પરોવવું. આવી રીતે ધ્યાતાની યોગ્યતા વર્ણવી પછી ધ્યેયનું સ્વરૂપ કહે છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર પ્રકારનાં ધ્યેયો છે. પહેલું ધ્યેય પિંડસ્થ. અહીં પિંડ એટલે કે શરીર. તેમાં રહે તે પિંડસ્થ ધ્યાન . અહીં પાર્થિવી, આપ્તેથી, વાયવી, વારુણી અને તત્ત્વભૂ આ પાંચ ધારણા દ્વારા પિંડસ્થ ધ્યાન કેવી રીતે સિદ્ધ કરાય છે તે સમજાવેલું છે. પિંડસ્થ ધ્યાનમાં પહેલી ધારણા પાર્થિવી ધારણા છે. એને પૃથ્વીતત્ત્વ સાથે સંબંધ છે. મન સ્થિર ક૨ી મધ્યલોકમાં રહેલ ક્ષીરસમુદ્ર, એમાં હજા૨ પાંખડીઓવાળું, જંબુદ્વીપના વિસ્તારવાળું કમળ ચિંતવવું. કમળના મધ્યમાં મેરુપર્વત સમાન કર્ણિકા, તેના ઉપર સ્ફટિક જેવું ઉજ્જ્વળ સિંહાસન ચિંતવી એના ઉપર પોતાને સ્થાપિત ક૨વો. પોતાના આત્મા ૫૨ લાગેલાં આઠ કર્મોને જોતાં એને મૂળથી નષ્ટ ક૨વાનો પોતે પ્રયત્ન કરી રહ્યો છે એમ ચિંતવવું. આગ્નેયી ધારણા : આ ધારણા અગ્નિ સાથે સંકળાયેલી છે. અહીંનાભિમાં ૧૬ પાંખડીઓવાળું કમળ ચિંતવવું જેના કેંદ્રમાં અાઁ મહામંત્રની સ્થાપના થઈ છે. આ કમળ ઉપ૨ બીજું આઠ પાંખડીઓવાળું કમળ ચિંતવવું જેની એક એક પાંખડીમાં અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એમ આઠ કર્મો સ્થાપેલા છે. આ કર્મોનો ક્ષય કરવાનો છે. આ કર્મક્ષય એટલે નિર્જરા ધ્યાનથી થાય છે. એમ ચિંતવવું કે અટ્ઠનો નાદ ગુંજી રહ્યો છે. એના રેફમાંથી નીકળેલી અગ્નિની જ્વાળાઓમાં આઠ પાંદડીઓ ઉપરનાં આઠ કર્મ બળી રહ્યાં છે. આત્માની શુદ્ધિ થાય છે. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળો અગ્નિ ચિંતવવો. આ બહારની અગ્નિની જ્વાળા અને અંદ૨ અટ્ઠના ધ્યાનથી ઉત્પન્ન થયેલી જ્વાળા બંનેથી દેહ ને આઠ પાંખડીઓવાળું કમળ ભસ્મીભૂત થઈ એની રાખ થાય છે એમ ચિંતવવું. મારુતિ/વાયવી ધારણા : વાયુ એટલે મરુત. એટલે વાયવી અથવા મારુતિ ધારણા સમસ્ત ૧૪ રાજલોકમાં ઊછળતો, પર્વતોને પણ ધ્રુજાવી દેતો, સમુદ્રને હલાવી દેતો એવો પ્રચંડ વાયુ ચિંતવવો. આગ્નેયી ધારણામાં દેહ અને કમળને બાળીને થયેલી રાખને આ વાયુ ઉડાવી નાખે છે. એટલે જે જે કર્મો બળીને રાખ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૧૭૬
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy