SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્તિક્ય : જિનેશ્વર ભગવંતે કહેલ તત્ત્વ ઉપર પૂર્ણ શ્રદ્ધા. સમ્યકત્વનાં આ પાંચ લક્ષણો સાથે આચાર્ય હેમચંદ્ર સમ્યકત્વનાં પાંચ ભૂષણો કહે છે – જિનશાસનમાં સ્થિરતા, જિનશાસનની પ્રભાવના, ગુણવાન પુરૂષોની ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીર્થસેવા. સમ્યકત્વનાં પાંચ ભૂષણો કહી તજવાનાં તેનાં દૂષણો કહ્યાં છે. શંકા એટલે કે અરિહંત ભગવંતે કહેલા જીવાદિનાં તત્ત્વોમાં અવિશ્વાસ કરવો. કાંક્ષા એટલે બીજા ધર્મની અભિલાષા કરવી. વિચિકિત્સા એટલે ધર્મ સંબંધી ફળનો સંદેહ અન્ય મત પ્રશંસા : જિનાગમથી વિપરીત દર્શનવાળા - મિથ્યા દર્શનવાળાની પ્રશંસા કરવી. મિથ્યાદષ્ટિ-પરિચય : મિથ્યાધર્મીઓનો પરિચય ન કરવો. આ પાંચ સમ્યકત્વને દૂષિત કરનાર હોવાથી તેને સમ્યકત્વનાં દૂષણો કહેવામાં આવ્યાં છે જે તજવાલાયક છે. આવી રીતે વિસ્તારથી સમ્યકત્વનું સ્વરૂપ સમજાવી હવે શ્રાવક ધર્મ માટે સમ્યકત્વ મૂલક ૧૨ વ્રતો સ્વીકારવાનાં હોય છે. તેમાંથી પાયાનાં ૫ અણુવ્રત સમજાવે છે : विरतिं स्थूल हिंसादेर्द्विविधत्रिविधादिना । अहिंसादीनि पंचाणुव्रतानि जगदुर्जिना ।।१८।। સ્થળ હિંસાદિકની દ્વિવિધ, ત્રિવિધ પ્રકારે એટલે કે મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ એમ છ ભેદ વડે વિરતિ કરવી એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ ધૂળ વતો છ ભાંગાઓથી ગ્રહણ કરવા તેને (જિનેશ્વરોએ) પાંચ અણુવ્રત કહ્યાં છે. અહિંસા અણુવ્રત · હિંસાનો ત્યાગ કરવો. કારણ હિંસા કરવાથી પાંગળાપણું, કોઢિયાપણું અને હાથ, પગનું ટૂંઠાપણું મળે છે. એટલે અહીં 1 ૧૫૬ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy