SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) સૂક્ષ્મ સંપરાય : સંપરાય એટલે કષાય. નવમા ગુણસ્થાને બાકી રહી ગયેલ સૂક્ષ્મ લોભ કષાયને આ દસમા ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે ક્ષય કરે છે. (૧૧) ઉપશાંત મોહ : દસમા ગુણસ્થાનને અંતે મોહને સંપૂર્ણ દબાવીને આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે ત્યારે ઉપશાંત એટલે કે મોહ સંપૂર્ણ શાંત હોય છે. પણ અહીં મોહનો ક્ષય થતો નથી. મોહને દબાવીને આત્મા આ અગિયારમા ગુણસ્થાને પહોંચે છે. આથી દબાયેલો મોહ જ્યારે પાછો સક્રિય થાય છે ત્યારે આત્મા અગિયારમા ગુણસ્થાનથી પડે છે. (૧૨) ક્ષીણ મોહ ઃ દસમા ગુણસ્થાને મોહનો ક્ષય કરનાર આત્મા સીધો દસમાથી બારમા ગુણસ્થાને પહોંચે છે. ક્ષીણ એટલે ક્ષય. આ ગુણસ્થાનમાં મોહનો ક્ષય થયો હોય છે. અને આ ગુણસ્થાનના અંતે બાકી રહેલ ત્રણ ઘાતકર્મનો ક્ષય થાય છે. (૧૩) સયોગી કેવળી : ઘાતકર્મોનો સર્વથા ક્ષય થતા જ કેવલજ્ઞાન પ્રગટે છે. આ અવસ્થા તેરમા ગુણસ્થાન છે. અર્થાત્ કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવળજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું જ્ઞાન. આ ગુણસ્થાને મન, વચન, કાયા આ ત્રણે યોગની પ્રવૃત્તિ ચાલુ હોવી સયોગી નામ છે. (૧૪) અયોગી કેવળી ? કેવળજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હૃસ્વાક્ષર બાકી રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનને અંતે યોગનિરોધ કરીને યોગરહિત બને છે. યોગરહિત અવસ્થા એ ચૌદમું ગુણસ્થાન અયોગી કેવળી છે. અહીં આત્મા મેરુપર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી રહેલ ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી દેહનો ત્યાગ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. પૃ.૧૫-૨૦ તત્વાર્થસૂત્ર’, વિવેચનકાર : આચાર્ય રાજશેખરસૂરિજી, દ્વિતીય આવૃત્તિ 2. “યોગશાસ્ત્ર' ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રાચાર્યે જૈનશાસ્ત્ર પ્રમાણે મોક્ષ માટે પ્રાણાયામ આવશ્યક નથી છતાં દેહના આરોગ્ય અને કાળજ્ઞાન આદિ યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ ૧૪૫
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy