SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવિરતિ, કોઈને સર્વવિરતિ પમાડવા રૂપે યથાયોગ્ય શ્રેષ્ઠ પરોપકાર કરે છે. અને જ્યારે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે છે ત્યારે યોગાન્તને પામે છે, અર્થાત્ મન, વચન અને કાયાના યોગદશાના અંતને પામે છે. અર્થાત્ યોગનિરોધ કરે છે. અને ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશી શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે. શૈલેશી અવસ્થામાં અયોગીપણું પ્રાપ્ત કરી અ, ઈ, 6, 8, શું આ પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણ જેટલા સમયમાં આ ભવ(સંસાર)રૂપી વ્યાધિનો સર્વ પ્રકારે ક્ષય કરી 10 ભાવનિર્વાણને પામે છે. तत्र द्रागेव भगवानयोगाद् योगसत्तमात् । भवत्याधिक्षयं कृत्वा, निर्वाणं लभते परम् ।।१८६।। અર્થ : ત્યાં યોગનિરોધ કર્યા પછી ભગવાન અયોગી અવસ્થા પ્રાપ્ત કરી ભવરૂપી વ્યાધિનો ક્ષય કરી પરમ એવા નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. અહીં ‘યોગ” શબ્દ બે વાર વપરાયો છે. એના બે અર્થો છે : મન-વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ જે યોગ કહેવાય છે, જે કર્મબંધનો હેતુ છે. આ યોગ આસવસ્વરૂપ છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી આ યોગનું સ્વરૂપ જણાવતાં કહે છે – વાય - વી - મન:શ્વર્ય યો: ૬.૨ અર્થ : કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ છે. આ યોગથી આત્મપ્રદેશોના કંપનના કારણે જીવ કામણવર્ગણા ગ્રહણ કરે છે. તેથી આસવરૂપ છે. જ્યારે ‘યોગ શબ્દનો બીજો અર્થ “મોક્ષે યોગના યો?” અર્થાત આત્માને મોક્ષ સાથે જે યોજન કરાવી આપે, જોડી આપે તે યોગ”. આ ‘યોગ' શબ્દ મોહનીય આદિ કર્મોના ક્ષયોપશમ અને લયસ્વરૂપ છે. તેથી નિર્જરારૂપ છે. તેરમા ગુણસ્થાનના અંતે યોગનિરોધ કરી ચોદમાં ગુણસ્થાને આવેલો જીવ ‘અયોગી' કહેવાય છે. તે મન, વચન અને કાયાના યોગ એટલે આસવસ્વરૂપ યોગના અભાવથી છે. ઉપસંહાર આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં યોગની ૧૪૦ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy