SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપૂર્ણ હોવાથી છદ્મસ્થ આત્માઓએ સર્વજ્ઞનો વિરોધ કરવો તે મહા અનર્થકારી છે. સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય યોગીના જ્ઞાન વિના શક્ય નથી. યોગીનું જ્ઞાન એટલે અનુભવજ્ઞાન. યોગની સાધના કરતાં કરતાં યોગી થયેલા મહાત્માઓને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે યોગીજ્ઞાન કહેવાય છે. જે પ્રત્યક્ષજ્ઞાન હોવાથી અને ઇન્દ્રિયનિરપેક્ષ હોવાથી અતીન્દ્રિય પદાર્થોને જાણી શકે છે. છદ્મસ્થોને તે વિષયનું જ્ઞાન ન હોવાથી આ બાબતમાં વિવાદ કે કદાગ્રહ ન કરવો જોઈએ. કારણ કે કદાગ્રહ કે શુષ્ક તર્ક મિથ્યાભિમાનનાં કારણ હોવાથી મોક્ષમાર્ગના વિકાસમાં અવરોધક બની શકે છે. એટલે મોક્ષમાર્ગમાં વિકાસ સાધવા માટે મહાપુરુષોએ જે યોગ્ય આચારરૂપ નિરતિચાર માર્ગ આચર્યો છે તેને અનુસરવું જોઈએ. તે 4 માર્ગ બતાવતા કહે છે – (૧) સૂક્ષ્મ ઉપયોગપૂર્વક પ૨પીડાનો ત્યાગ કરવો. (૨) યથાશક્તિ પરોપકા૨ ક૨વો, બીજાનાં દુ:ખોને દૂ૨ ક૨વાં પ્રયત્ન કરવો. (૩) માતા, પિતાદિ ગુરુજન, દેવતા, વિપ્ર (બ્રાહ્મણ) અને સંસારના ત્યાગી સંત પુરુષોની સેવા ભક્તિ, બહુમાન કરવું. (૪) પોતાનાં કર્મોથી હણાયેલા, પાપકર્મ કરવામાં ઓતપ્રોત એવા પાપી જીવો ૫૨ ભાવથી કરુણા કરવી, પણ દ્વેષ ન કરવો. આ ચાર પ્રકારનો મહાપુરુષોનો માર્ગ છે તે ઉત્તમ ધર્મ છે અને ચોથી દૃષ્ટિવાળા જીવ આ માર્ગને અનુસરતાં પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પ્રવેશ કરે છે. આ પહેલી ચાર દૃષ્ટિએ પ્રથમ મિથ્યાત્વગુણનો વિકાસ છે. ચોથી દીપ્રાદૅષ્ટિમાં મિથ્યાત્વી જીવોનો સર્વોત્કૃષ્ટ વિકાસ થાય છે. આ ચાર દૃષ્ટિમાં રહેલા જીવો એ સયોગી મિથ્યાદષ્ટિ જીવો કહેવાય છે. જ્યારે આ દૃષ્ટિ પ્રાપ્ત ન થયેલા મિથ્યાદષ્ટિ જીવો એ અયોગી મિથ્યાદષ્ટિ જીવો કહેવાય છે. આ જીવો યોગમાર્ગ કે મોક્ષમાર્ગ પામેલા નથી. સયોગી મિથ્યાદષ્ટિ જીવોમાં તાત્ત્વિક વૈરાગ્ય અને સાથે આંશિક વૈરાગ્ય પણ પ્રગટ્યો છે. આ ચાર દૃષ્ટિ પ્રતિપાતી કહેવાય છે. એટલે કે આ ચાર દૃષ્ટિમાં રહેલા જીવનું અધ્યાત્મમાર્ગથી પતન થઈ શકે છે. હજુ સુધી ગ્રંથિભેદ થયો નથી. જ્યારે હવે પછીની સ્થિરા આદિ ૧૩૦ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy