SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારો આત્મા પરિણામે જિનની દશા પામે. આચાર્ય હરિભદ્રસૂરિ આગળ બીજાં યોગબીજ બતાવે છે : સહજ એટલે કે સ્વાભાવિક રીતે થતો ભવઉદ્વેગ એ પણ યોગબીજ છે. ભવ એટલે કે સંસાર. તેના ઉપર વૈરાગ્ય આવે છે. આ સંસાર જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, ક્લેશ, સંયોગ, વિયોગ વગેરેથી ભરપૂર છે. જે દુઃખનું કારણ છે. સંસારનું ભૌતિક સુખ પણ દુઃખસ્વરૂપ છે. સંસારના આ સ્વરૂપને વિચારતાં સંસાર પરથી જે સહજ વૈરાગ્ય થાય તે સહજ ઉગ છે. જૈન દર્શનમાં સમ્યકત્વના જે પાંચ લક્ષણ બતાવેલાં છે – (૧) શમ, (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્તિકેય - એમાંથી આ સંસાર પ્રત્યેનો ઉદ્વેગ એટલે કે નિર્વેદ એ ત્રીજું લક્ષણ છે. ઇષ્ટનો વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય તે વખતે થયેલો વૈરાગ્ય દુ:ખનિમિત્તક છે, સહજ વૈરાગ્ય નથી. તે આર્તધ્યાનરૂપ છે. અહીં જ્ઞાનગર્ભિત વૈરાગ્યને યોગબીજ કહ્યું છે. પાંચમું યોગબીજ છે દ્રવ્યથી અભિગ્રહનું પાલન. સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપી અભિગ્રહ એટલે કે નિયમનું પાલન કરે, એવી જ રીતે દીન-દુઃખી-દરિદ્રી આત્માઓને પણ યોગ્ય સમયે અનુકંપા દાન કરવું. (જે આત્માએ ગ્રંથિભેદ કર્યો હોય તેવા આત્માને જ મોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી ભાવઅભિગ્રહ આવે છે. પણ અહીં પ્રથમ ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થયો ન હોવાથી દ્રવ્યઅભિગ્રહ આવે છે.) આવી રીતે સુપાત્રદાન, પાત્રદાન અને અનુકંપાદાનરૂપ દ્રવ્યઅભિગ્રહ એ શુભાશયરૂપ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનું બીજ છે. ઉપાધ્યાય યશોવિજયજી દ્વાત્રિશત્ - દ્વાáિશિકાના પ્રથમ ‘દાન ધાત્રિશિકા’ના પ્રથમ શ્લોકમાં કહે છે – મવસ્યા સુપાત્રદ્ધાને મોક્ષદ્ર રાતમ્ ા૨ા દાન દ્વાáિશિકા આગળનું યોગબીજ છે - સિદ્ધાન્ત, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારા એવા ૧૨૦ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy