SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે ૩૨૭ દાદાશ્રી : રણછોડજી એ, મહાદેવજી એ, કૃષ્ણ એ, મહાવીર એ. એટલે લોકો ત્યાં ડાકોરમાં જઈએ ત્યારે રણછોડજીની પેઠ દર્શન કરે. આખું ગામ દર્શન કરે. અહીં આપણે ઘેર બેઠા આવ્યા, પછી હવે શું કરવા ખોળવા જઈએ બહાર ? હીરાબા : હં.. બહાર શું કરવા ખોળે ? નીરુમા : માગો એ મળે, કહે છે. દાદાશ્રી : જે માગે એ મળે. એ કહે કે “મને દર્દ મટી જાવ', તો એ મટાડશે. હીરાબા : તો મટાડી દયોને આ. દાદાશ્રી : ના, એ તો કહેવું પડે આપણે. તમે ત્યાં ઘેર બેઠા બેઠા કહો તે અમને પહોંચે ત્યાં. નીરુમા : દાદા ભગવાન મારું મટાડી દો કહેવાનું. હીરાબા : હા, કહેવાનું ને ! દાદાશ્રી : ના, એ તો બોલવું પડે પાંચ-દસ મિનિટ એમ, વાત એકલાથી ના થાય. તેથી તો લોકો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલે ને, તેથી બધું એમને મટી જાય. બધું થાય, માગ્યું હોય તે મળે. તેથી બધા બોલે. એટલે હું હઉ બોલે ને ! મારે કંઈ દાઢ-બાઢ દુઃખે ત્યારે હું તરત બોલું તો મટી જાય છે. પૂજ્ય નીરુમા સંપાદિત વાણીમાંથી..) કૃષ્ણભક્ત બન્યા દાદાભક્ત બા પહેલેથી કૃષ્ણ ભક્તિ કરતા. પરમ પૂજ્ય દાદાશ્રીને ૧૯૫૮માં જ્ઞાન થયું. દાદાશ્રીએ આ વાત અત્યંત ગુપ્ત રાખેલી. શરૂઆતનો દસકો તો અમુક જ વ્યક્તિઓ સાથે ગુપ્ત રીતે સત્સંગ કરતા. ભોળા-ભદ્રિક બાને આની કંઈ જ ખબર ન હતી. દાદાશ્રીને જ્ઞાન થઈ ગયું પણ તે
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy