________________
ને ભૂખમરો – આ રાજસત્તા પ્રજાની ભૂખનો જરાય વિચાર કર્યા વિના કરોડો રૂપિયા લકર પાછળ ખર્ચી પોતાના માણસોનું પોષણ કરી રહી છે. કોઈ પણ ધનાઢય દેશમાં ન હોય એથી ઊંચા પગાર આ ગરીબ દેશમાં સનંદી નોકરોને આપીને, પોતાનાં માણસો દેશભરમાં તેણે પાથરી દીધા છે. સાથે સાથે આ સૌને મોટા મોટા મોગલ બાદશાહો જેવી સત્તા આપવામાં આવી છે.
દેશભરમાં ઠેરઠેર અનેક મનુષ્યો સતત ભુખમરાથી અધમૂઆ પડેલા છે. આ ભૂખ્યા કિસાનો વચ્ચે તેમના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દબદબો તથા ઠાઠમાઠ કરવાને માટે જ દિલ્હીની રાજધાની બાંધવામાં આવી છે. રાજ પ્રાસાદોમાં, પ્રાન્તોના લાટસાહેબોની મહેલાતોમાં અને મોટા મોટા હોદ્દેદારોના બંગલાઓમાં દરબાર ભરાય છે, પાર્ટીઓ અપાય છે, ભોજ નો, નાચરંગ અને શરાબબાજી ઊડે છે.
ન ૨૮ |
ક્રાંતિનો અવતાર | જગતમાં કોઈ બળવાખોર હોય તો ગાંધીજી જેવો બીજો કોઈ જ નથી. પણ એનો બળવો અસત્યની સામે છે, પાખંડની સામે છે, મેલની સામે છે, કોઈ | વ્યક્તિની સામે નથી.
દુનિયામાં સંહારશક્તિની હરીફાઈ ચાલી રહી છે. એ કેટલી હદ સુધી પહોંચશે તેની કલ્પના નથી. પણ એક એવો સમય આવી રહ્યો છે કે જ્યારે જગત સ્વીકારશે કે એક લંગોટી પહેરેલો મુઠ્ઠી હાડકાંનો માણસ (ગાંધીજી) કહેતો હતો તે જ સાચી વાત કરતો હતો. ‘મહાત્મા ગાંધીજી કી જય'ના ધ્વનિમાં જે ક્રાંતિની જય પોકારાય છે તેવી બીજા કયા ધ્વનિમાં સંભળાય છે ? કારણ મહાત્માજી એટલે ક્રાંતિનો અવતાર. ગુજરાતનો તપસ્વી (ગાંધીજી) શીખવે છે એ હાડમાં ઊતર્યું હશે તો અંગ્રેજ સરકારનાં હથિયાર થોથાં થઈ જવાનાં છે. | સાબરમતીમાં બેઠો બેઠો મુઠ્ઠી હાડકાંનો માણસ રેટિયો ફેરવી સરકારને હલાવે છે, એ એક કૌતુક છે.
૨૯ |