________________
મનિષાપિલીટી
શિક્ષક
નવભારતના ભાગ્યવિધાતા : ના. એવામાં શહેરમાં આગ લાગી. એક નહીં છે. જ્યારે
વધારે પાણી પહોંચે એવા નળ ખોલવાના હતા, ત્યાં જે
નળો હતા તે જ એ બંધ કરી બેઠા. : એમ કેમ ?
કોને રસ ? આમ આખર વાડિયાજી પણ ગયા. પણ જતાં પહેલાં એ મ્યુનિસિપાલિટીને ખોટા અઢળક ખર્ચના ખાડામાં
ઉતારતા ગયા. : જાણી જોઈને ?
શિષ્ય
શિષ્ય
શિક્ષક
શિક્ષક
શિષ્ય શિક્ષક
શિષ્ય
શિષ્ય
શિક્ષક
શિક્ષક
શિષ્ય
: ઊંધી ખોપરીના અમલદાર સાહેબ. દરમિયાન શ્રી વલ્લભભાઈ
તો જ્યાં જ્યાં આગ લાગી હતી, ત્યાં તે જગ્યા પર જાતે
હાજર. : જાતે ? : ગામસેવા કરવા નીકળ્યા હતા કે મશ્કરી ? જાતે હાજર. એમ
જાત તપાસ કરી રિપૉર્ટ કર્યો. : એટલે પેલાની: વિકેટ નહીં ગઈ ! એ સાહેબે, એ ફરિયાદ રિપૉર્ટનાં બધાં
કાગળિયાં જ દબાવી દીધાં. : એટલે? : ગુમ કરી દીધાં. ગાયબ કરી દીધાં. સરકારી અફસરો આવા કામ કરવામાં ભારે હોશિયાર હોય છે. ‘અમે સરકારી
ઑફિસર ! અમને કોણ પૂછનાર છે ?' બ્રિટિશ સલ્તનતની, આવી તુમાખીથી આવા નાના ઑફિસરના માથા ભરછક છલકાયા કરે જ , મ્યુનિસિપાલિટીના એ સમયમાં પાણીની બરબાદી થઈ છે, જે તપાસ પંચ નિમાયા છે, એનો અભ્યાસ કરો તો એક રામાયણ જેવડો ચોપડો થાય, અને એમાં
હસવાના તેમજ ક્રોધ કરવાના સેંકડો મુદ્દાઓ મળે. : અમે એનો અભ્યાસ કરી શકીએ ? : કરો તો ઘણું શીખવાનું મળશે. પણ એવાં જૂજ થોથાંઓમાં
લગભગ એમ જ, પોતાનો મમત, અને મગજમાં તુમાખી. શ્રી વલ્લભભાઈ પટેલના જીવનમાં મ્યુનિસિપાલિટીમાં કરેલાં સેવાકામનાં વર્ષો ઘણાં અગત્યનાં હતાં. એક તો ૧૯૧૬માં મહાત્મા ગાંધીજીનું અમદાવાદમાં આવવું, ત્યાં સ્થાયી નિવાસ કર્યો. ૧૯૨૭માં ગોધરામાં પહેલી ગુજરાત રાજનૈતિક પરિષદ ભરાઈ. અહીં પ્રમુખપદેથી ગાંધીજીએ ગ્રામ-સ્વરાજ શુદ્ધ
સાધનો દ્વારા સાધવાનો નિર્ણય જાહેર કર્યો. : તો શ્રી વલ્લભભાઈ સાહેબ અને ગાંધીજીની મુલાકાત ત્યારે
થઈ ? : તે પહેલાં, ગુજરાત ક્લબમાં, પણ એ તો એકબીજાને આંકી
લેવાની રમત હતી. ગાંધીજીને મન આવો અક્કડ માણસ કોણ છે ? પછી તો વલ્લભભાઈએ ગાંધીજીને ગુરુ તરીકે જ સ્વીકાર્યા. વાત એમ હતી કે ૧૮૮૪માં એક ગુજરાત સભા નામે સંસ્થા સ્થપાઈ હતી. ૧૯૧૬માં શ્રી વલ્લભભાઈ એના પ્રમુખ ચૂંટાયા. બહુ કપરાં વર્ષો. ૧૯૧૭માં અમદાવાદમાં
પ્લેગ. : અમદાવાદમાં પ્લેગ ! : અને તે પણ ભયંકર. પછી કામકાજ બંધ, પછી મજૂરોની
હડતાળ વચ્ચે પડી ને ગાંધીજીએ પતાવી, પછી આવી યુરોપમાં
લઢાઈ. : યુરોપમાં લઢાઈ, એમાં આપણે શું ?
શિક્ષક
શિષ્ય શિક્ષક
શિષ્ય શિક્ષક
શિષ્ય