________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા અતિશય ૨ડવા કુટવાના રીવાજથી શું શું ગેરફાયદા છે, તેનું વર્ણન કરતા પહેલાં માણસના મરણ પહેલા તેના સગા સંબંધીઓ અને મિત્રોની શી ફરજ છે તે જાણવાની આવશ્યકતા છે.
अंतकाल समये सगा स्नेहिओनो धर्म અકસ્માત્ મરણની પાસે માણસમાત્ર નિરૂપાય છે. (અને તેથીજ શાસ્ત્રકારો કહે છે કે હાલતા ચાલતા અને દરેક કામ કરતા માણસે પોતાનું ચિત્ત ઘણુંજ નિર્મળ રાખવું) તેથી જ્યારે કોઈ માણસ થોડા વખત સુધી પણ માંદગી ભોગવી મરણ પામે છે તેના પ્રત્યે તેના સગાવહાલાઓનો ધર્મ એ છે કે તેની ઔષધ ઉપચારથી બને તેટલી ચાકરી કરવી. તેનું મન દુષ્ટ ધ્યાનમાં પેસવા દેવું નહીં, ધર્મકથાઓ વિગેરે ચાલુ રાખી તેનું મન નિર્મળ રાખવું. આડી અવળી વાતો કરવી નહીં. કેટલાએક મૂર્ણો તેના દુ:ખનો કાંઈ પણ ઉપાય નહીં લેતા ઉલટા રડવા કુટવા મંડી જાય છે, બીલકુલ ધીરજ રાખતા નથી. આથી કરી મરનારનું ચિત્ત તદ્દન ડોળાઈ જાય છે, તેની મનોવૃત્તિ સાંસારિક ભાવમાં બંધાતી જાય છે, તેના દુ:ખમાં વધારો થતો જાય છે. કેટલાએક તો મરનારના મરણ પહેલાં તેને હવરાવે છે. આથી પેલાનો જીવ ઘણો ગભરાય છે. હવરાવે છે એટલું જ નહીં પરંતુ મરનાર માણસના પ્રાણ કંઠમાંજ છે એવે વખતે એક ભીંજવેલી જગામાં સુવરાવે છે. અને તેથી તેના પ્રાણ લેનાર સૌથી પહેલાં એનાં સગાઓજ થઈ પડે છે. ખરેખર આ તેના સગા નહીં પણ શત્રુજ સમજવા. જો તે માણસના શરીરમાં જરા પણ શક્તિ હોય તો તરતજ તેના સગાઓને આવા ઘાતકી કામને માટે લાકડી લઈને મારવા ઉઠત. એવા સગાઓ તેના મિત્ર નથી પણ કટ્ટા દુશ્મન જ છે. ખરા સ્નેહીઓનો ધર્મ એથી જુદોજ છે. તેઓતો પહેલેથી છેવટ સુધી તેની સદ્ગતિ થાય એવાજ ઉપાયો લે છે. ઔષધ ઉપચાર વિગેરેથી તેની સારી સેવા બજાવે છે, ૨ડવા કુટવાનો શબ્દ પણ તેના કાનમાં જવા દેતા નથી. જ્યાં સુધી તેના કંઠમાં પ્રાણ છે ત્યાં સુધી તેની શૈધ્યા બદલાવતા નથી. રાગરાગડા તાણી તેનું મન ડોળી નાખતા નથી. ઉલટા ધર્મવાણીથી તેના ચિત્તને નિર્મળ કરે છે. એવા જે હોય તેજ તેના સગાઓ, તેજ તેના વહાલાઓ અને તેજ તેના ખરા મિત્રો, બાકી બીજા તો ડોળઘાલુ માત્ર નામનાજ સગાઓ.
• ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
मरण पष्ठी श्मशाने जती बनतनो देखाव હાલના વખતમાં મુવેલા માણસને રમશાને લઈ જતી વખતનો દેખાવ સુધરેલી પ્રજાને ઘણોજ હાસિપાત્ર થઈ પડે છે. ઘરમાંથી મુડદાને બહાર કાઢવું કે તરતજ સ્ત્રીઓ ધબડ ધબડ કુટતી અને લાંબા અવાજે રડતી શરીરનું કાંઈ પણ ભાન નહીં રાખતાં સસરા ભર્તારની લાજને પરદેશ મુકી તેની પાછળ થોડે દૂર જાય છે. પુરુષ પણ રડવામાં કાંઈ બાકી રાખતા નથી. પોકે પોક મુકી એટલા તો મોટા અવાજથી તેઓ રડે છે કે સારા વિચારના સદગૃહસ્થો તેમનું તે રડવું જોઈ હસે છે. કોઈતો કેડે હાથ દઈ એવાતો મોટા ઘાંટા કાઢે છે કે તે વખતે તેની આકૃતિ ઘણી બીહામણી થઈ જાય છે. મોટા મોટા ઘાંટા કાઢી (અને તે વળી) જાહેર રસ્તામાં રડવું એથી મરનારના માનનો ભંગ થાય છે. ઊંડો વિચાર કરી જોતા માલુમ પડે છે કે મરનારની પાછળ જતા લોકોનો સમુદાય એ એક શોકરાજાનો વરઘોડો જ છે. વરઘોડામાં માણસોએ રીતસર ચાલવું જોઈએ, ગંભીરતા બતાવવી જોઈએ, એને બદલે ઉલટા બીજા લોકોને મશ્કરીના પાત્ર થઈ પડે એવો દેખાવ ખડો થાય છે. દુનીયાનો સ્વાભાવિક નિયમ છે કે મુડદુ જોવાથી માણસના મનમાં વૈરાગ્યરસ પ્રગટે તો આ પ્રસંગે લોકોએ એવી રીતે વર્તવું જોઈએ કે તેમના વર્તનથી બીજા લોકોના મનમાં વૈરાગ્ય વધતો જાય. તેમ નહીં ફરતા હાલના વખતમાં જુદીજ રીતે વર્તન થાય છે. કેટલાએક તો ફક્ત બીજાને બતાવવા માટે ઢોંગ કરીને ૨ડે છે. વળી કેટલાએક જ્યાં સુધી ગામની અંદર શબ હોય ત્યાં સુધીજ કાંઈકે રડે છે પણ દરવાજા બહાર ગયા કે બધા ચુપ થઈ જાય છે અને મરજીમાં આવે તેવી આડી અવળી વાતો કરતા સ્મશાને પહોંચે છે. તેઓને શરમ પણ નથી આવતી કે મરણ જેવા ગંભીર અવસરે આડાઅવળા ગપ્પાં કેમ મારીએ..
સ્મશાનમાં પહોંચ્યા એટલે શોક તો બધો દૂર થઈ ગયેલો જ જણાઈ આવે છે. કોઈ કંઈ વાત કરે છે, કોઈ કંઈ વાત કરે છે. કોઈ હસીને ગપ્પા માર્યા કરે છે. આ પ્રમાણે સ્મશાનમાં જુદી જુદી ટોળીઓ થઈને જુદે જુદે ઠેકાણે બેસે છે. કોઈ અજાણ્યો અને આ દેશની રૂઢિથી બીનમાહતગાર શખસ ત્યાં આવ્યો હોય
- 93