SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે જુએ તે પારસનાથ (પાર્શ્વનાથ) અને નિજ શુદ્ધ સ્વરૂપને જુએ છે તે બ્રહ્મા. અધ્યાત્મ પુરુષાર્થ કરી સ્વભાવ શુદ્ધ કરો તો આત્મા પોતે જ આનંદઘન છે. એ જ ચૈતન્યસ્વરૂપ છે અને એ જ કર્મની મલિનતાથી રહિત છે. આ પ્રસંગે સોમનાથ પાટણના મંદિરમાં પ્રવેશ સમયે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કરેલી સોમેશ્વરની સ્તુતિનું સ્મરણ થાય છે. તેમણે એમ કહ્યું હતું કે વેરીનદીદી, પૉત્તમભુતાણETI મણ ! I a laza, cરે નદી પા દભિપડ્યે ll કામ, ક્ષેધ, લોહ, મોહ, મદ અને મત્સર જેના ક્ષય થઈ ગયા છે, તેવા પછી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય કે જિન (તીર્થંકર) હોય, તેમને હું નમસ્કાર આની પાછળ સત્ય-સંશોધનનો આશય છે. સત્ય અને સમતા એ વ્યાપકતા અને શાંતિ સર્જે છે અને એમાંથી ઉદ્ભવે છે આનંદ. આત્મા એના ચૈતન્ય-સ્વરૂપને જાગ્રત કરે ત્યારે એણે નિરંજન નિરાકાર સ્વરૂપે પ્રાપ્ત કરવાના શુદ્ધ આશયવાળી વ્યક્તિ અંતરાત્મસ્વરૂપની ખોજ કરે છે અને એ ખોજ જ એને માટે સશ્ચિત્તઆનંદની પ્રાપ્તિ લાવે છે. આનંદઘનની હસ્તપ્રતોના સંશોધન દરમિયાન આનંદઘનનાં પદોની કેટલીક અપ્રગટ રચનાઓ મળી તેમાંની એક અપ્રગટ રચના શ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના સંગ્રહ(ક્રમાંક ૧૩૪૮૨)માં મળે છે. મલ્હાર રાગમાં લખાયેલું પદ આ પ્રમાણે છે : તું લગ જા રે મનવા મેરા, પ્રભુ ચરણકા મેં ચોરી. વિષયાકી સંગત હોય મત ડોલો, ઇણસું હોય ભટ ભેલા. તું. ૧ ભવ ભવમેં કુછ ચેન ન પાયો, ભવ જલ હૈ ઠઠનેરા. હો. ૨ આનંદઘન કહૈ પાસ જિનેસર, તમ હો સાયબ મેરા તું. ૩ - ઇતિ પદમુક આનંદઘનજીની અનુભવલાલીની મસ્તીનો છલકાતો આતમપિયાલો એમના એક અનુપમ પદમાં લાક્ષણિક રીતે પ્રગટ થાય છે. આમાં આત્માનંદની ભાવાવસ્થા મહાયોગી આનંદઘન 136 પ્રગટ થાય છે. કેવી હશે એ મસ્તી કે કવિ કહે છે કે અમે અમર બની ગયા છીએ. આ અમરત્વનું કારણ એ કે જીવનમાંથી રાગ અને દ્વેષ નાશ પામ્યા છે. મિથ્યાત્વ ત્યજી દીધું. સ્થૂળ રૂપને બદલે સૂક્ષ્મ સ્વ-રૂપનો વાસી બન્યો છું અને આત્મા અને મોક્ષ એ બે અક્ષરનું અમે સતત સ્મરણ કરી રહ્યા છીએ. આનંદઘન તો ત્યાં સુધી કહે છે કે વ્યક્તિ જો આ પ્રમાણે જીવવાનો નિશ્ચય કરે તો એ અમર થઈ જાય છે. મહાત્મા ગાંધીજીને પ્રિય એવી આ પ્રાર્થના ‘આશ્રમ ભજનાવલિ'માં સ્થાન પામી હતી. આ પદનું ભાવલાલિત્ય અને એની મર્મસ્પશિતા કંઈક ઓર છે. એમાં પ્રગટતી સાધકની મસ્તીભરી ખુમારી જોઈએ – ‘, CA અભ્યાસૈ દા શ્રેછે. સા :781ઢ ભત્રા1 રીમો 7-3નેં. ઊર્ફે : - દશે? 1 ੫ ਈਧ 27 ਭਵ77 ie ਨੂੰ ਵਿ 73 , ક્ષમ અદET Ral anall, પી Ca Ka Nછે. ૨ *= વિદારી અપેદારી, ખact u aaછે. દાણી નાખી દક્સ તીરવાણી, વીઝીં દે.. 3 શ્રમ અE=1 વારના પક્ષી . ખેર પુર રિપછે. ખાદFuદા દિવ751ો:7a3ત્તરો, દાપભ્રશ છે જ૮ મધ્યકાલીન સાહિત્યમાં આનંદઘનજીનાં પદોની વિશેષતા જોઈએ. તેઓ છાદાર રીતે વિષયવસ્તુનો પ્રારંભ કરે છે. પ્રથમ પંક્તિના પ્રારંભના શબ્દો જ ભાવકના ચિત્ત પર આત્માનંદની અનુભવલાલીનું વાતાવરણ સર્જે છે, પરંતુ આ પદનો પ્રવાહ જેમ જેમ આગળ વહે છે, તેમ તેમ પદમાં ગૂંથાયેલું રહસ્ય પ્રગટ થાય છે. ઘણી વાર પદની છેલ્લી પંક્તિઓ એવું રહસ્ય ખોલી આપે છે કે જેનાથી પદ પર જુદો જ અનુભવ-પ્રકાશ પથરાઈ જાય છે. પરિણામે આનંદઘનજીનાં પદો એના મધુર રાગોને કારણે કંઠમાં રમી રહે તેવાં તો છે જ, પરંતુ એથીય વધુ પદની અંતિમ પંક્તિઓની ચમત્કૃતિને કારણે ભાવક કે સાધક પુનઃ પુનઃ એનું આસ્વાદન કરવા પ્રેરાય છે. સંગીતશાસ્ત્રને અનુરૂપ એવાં આ પદોમાં ભાગ્યે જ યતિભંગ જોવા મળે છે. અત્યંત સરળતાથી એ ગાઈ શકાય છે. મનોહર રાગ-રાગિણી ધરાવતાં આ પદોમાં રાગ અને તાલનો ઉલ્લેખ કરે છે. પદોમાં કવિ ક્યારેક આલંકારિક રૂપકશૈલી પ્રયોજે છે, તો ક્યારેક ચાતક, મૃગ, સાપણ, હારિલ પક્ષી, ખંજન, ગજરાજ, ગર્દભ જેવાં પક્ષી-પ્રાણીઓની ખાસિયતોનાં દાંતો દ્વારા કે પછી સૂર્ય, વસંત જેવાં પ્રાકૃતિક તત્ત્વોની વાત દ્વારા કે ચોપાટ અથવા ગંજીફાની રમતના ઉદાહરણ દ્વારા પોતાની વાતને સહજતાથી પ્રગટ કરે છે. આ આનંદઘનનો પદવૈભવ 137
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy