________________
-, Elem;]ીમાની. 2- anલ્યાણ પરne 11 ના પૂર ગાવે.
1: Eલ્મફૅદામાપી ? ** આ ચેતન એટલે કે આત્મા કેવો છે ? જેમ અભિનેતા અભિનય કરતો હોય ત્યારે પોતે એમાં તદ્રુપ હોવાથી ભ્રમણામાં પડી જાય છે અને એ ભ્રમણા દૂર થાય ત્યારે એ પોતાની જાતને સમજી શકે છે. આમ કુમતિને કારણે ચેતનને માનસિક ભ્રમણા થાય છે. બાજી એ માંડે છે અને બાજીગર પણ એ જ છે. ખટરાગ કરનાર અને છોડાવનાર પણ એ જ છે. જૈન દર્શન કહે છે કે આત્મા જ તારો મિત્ર છે અને આત્મા જ તારો શત્રુ છે. દુનિયાની જાળમાં ફસાયેલો આત્મા કુમતિ સાથે વસે છે , પરંતુ નિજસ્વરૂપની ઓળખ પ્રાપ્ત થતાં તે આનંદસ્વરૂપ આત્માને ઓળખે છે. આનંદઘન કહે છે -
જ 377 = ગૌ11. ਦਕ ਦੇ ਤਾਮੀ, ਚਕ ਕੇ ਗੁਰੂ:ਮੀ: ਦਕ ਬਣਕ ਦੀ. " શુદ્ધ ચેતનની જાગૃતિ સમયે કેવો ભાવાનુભવ થાય ! એ અનુભવનું આલેખન કરતા પદમાં કવિ આનંદઘનના ભાવઉછાળનો અનુભવ થાય છે. ચોતરફ ફેલાયેલું ભ્રમરૂપ અંધકારનું સામ્રાજ્ય અળગું થઈ જાય છે. પ્રકાશ ફેલાય છે . નિર્મળ હૃદયકમળ ખીલે છે અને આત્મભૂમિ પર વિષયરૂપ ચંદ્રની કાંતિ નિસ્તેજ થઈ જાય છે. એને માત્ર આનંદઘન જ પોતાના વલ્લભ લાગે છે. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં એક સમયે અત્યંત મોહક અને આકર્ષક લાગતા જગતના રાગ રસહીન લાગે છે. શુદ્ધ ચેતનાનો વિરહકાળ પૂર્ણ થતાં આત્મવિભૂતિના પ્રાગટ્ય કવિ વધાવે છે –
‘હ્મu_521દી બાદ બ્રમી બીક
Relzl 3:3RT 1 // ૨:૪ની. બાણો તો પૌ"૩ - અનાદિકાળથી અજ્ઞાનની જે નિદ્રા આવી હતી તે આપોઆપ દૂર થઈ ગઈ અને હૃદયમંદિરમાં અનુભવજ્ઞાનનો પ્રકાશ થવાથી ‘સહજ સુજ્યોતિ સ્વરૂપ' અનુભવજ્ઞાન પ્રગટ થયું છે.
કવિ સુહાગણને પોતાના હૃદયમાં જાગેલી અનુભવની પ્રીતની વાત કરે છે. આ અકથ કહાનીને વર્ણવતાં આનંદઘન કહે છે,
ખાસ 47 ખાસ , aEled aw] MR.
ਜੇ ਤੂੰ ਮਰ ਹੱਦ 1872 ਦ = ਦਵਾਣੇ ਤੇ , ਹੈ ਜਾਂ ਜਣੇ ਵੀ દાd;a:ટારૃ પેટી દો દEી છૂણે ઊંસ,
ખાદFઘl aણ સૈન્મ . મ77 77ઃlી સ. ૧૪ એક અન્ય સ્થળે આનંદઘન કહે છે,
‘ee all fણી Hી 11. ભાભદ/afી પૂરણોં વË1.5 % હે પ્રભુ ! તમારી જ્ઞાનરૂપ વસંતઋતુ પૂર બહારમાં ખીલી છે અને તેથી તેમાં મનરૂપ ભ્રમર સુખે વસે છે. વૈરાગ્યરૂપી દિવસ મોટો થતો જાય છે અને દુર્ગતિરૂપ રાત્રી ઘટતાં જતાં ધીરે ધીરે નાની થતી જાય છે. સુરુચિની વેલ વૃદ્ધિ પામીને ફળવતી બની છે. વસંતઋતુમાં કોયલનો સૂર અતિમધુર હોય, તે રીતે ભાષા મનમધુર રૂપ ધારણ કરે છે અને સમગ્ર સૃષ્ટિ આનંદસ્વરૂપ બની છે.
આનંદઘનનાં પદોમાં આધ્યાત્મિક યાત્રાનું આલેખન છે અને તે વિરહ અને મિલનના ભાવરૂપે વ્યક્ત કર્યું છે. અધ્યાત્મના શિખરે પદ્માસન લગાવીને બેઠેલા આનંદઘને એમનાં પદોમાં યોગની પરિભાષાનો પ્રયોગ ર્યો છે. એમણે યોગસાધનાથી દેહને દેવળ બનાવવાની વાત કરી છે. યોગવિષયક પદોમાં એમણે યોગ દ્વારા આત્મભાવ અને સમાધિની પ્રાપ્તિનો માર્ગ ચીંધ્યો છે. જૈન દૃષ્ટિએ યોગની વ્યાખ્યા છે ‘સુન્નE STણે સૌણ: '. સાધ્ય સાથે ચેતનને જોડી દે તે યોગ. આચાર્ય હરિભદ્રસૂરિ અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ મોક્ષ સાથે જોડી દેનાર સર્વસંન્યાસ તરીકે ઓળખાવે છે. યોગમાર્ગના આરાધકના રાગ-દ્વેષ મંદ થતા જાય છે અને સ્વદેહ પ્રત્યેનો રાગ અને અન્ય આત્મા પ્રત્યેનો દ્વેષ ઓછો કરવાનો છે અને આત્મામાં સ્થિર કરવાનો છે . એનું લક્ષ તો આત્માને દેહમાંથી અલગ કરીને આત્મભાવનામાં સ્થિર કરવાનું છે. રેચક, પૂરક, કુંભક આદિ ક્લિાઓ દ્વારા મનઇન્દ્રિયનો જય કરીને આત્મહત્ત્વનો પ્રાથમિક અનુભવ પામવાનો છે અને પછી તેમાં સ્થિરતા કરવાની છે. આનંદઘનનાં પદોમાં તન મઠમાં સૂતેલા આત્માને જાગ્રત કરવાની વાત છે. એમણે છઠ્ઠા પદમાં તો સમગ્ર યોગપ્રક્રિયાનું નિરૂપણ કર્યું છે. જ્યારે અન્યત્ર તેઓ કહે છે –
અa] ઉમા ઘરે દી વ્યવર્ગે નાખ રૂdદી ઘટમેં. Eદા ભટatEle1 Eી stea57a1ર્ભે.
ਰਹG (ਸ਼ੇਤਜ ਦਵੈ ਸੀ, ਵੀ ਸ਼7 ਸਤਵੇਂ " આનંદઘનજીની આવી જ યોગમસ્ત દશાનું વર્ણન એમના “અવધૂ સો જોગી
આનંદઘનનો પદવૈભવ
= ਵਰਤੋਂ ਦ ਵਾ ਤੀ, ਸੰਤ੩੬51ਵੇਂ7 . 0.3 ભેંન્ને નરેમો. 97 9:3ીer પરત્ર,
મહાયોગી આનંદઘન
130
131