SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ - “જૈન યુગ” સામયિકના વિ. સં. ૧૯૮૨ ભાદ્રપદ આશ્વિનના અંકમાં પૃ. ૬૬ પર “આનંદઘનજી કૃત પાર્શ્વ અને વીર સ્તવનો” પ્રગટ કરવામાં આવ્યાં હતાં. એ સ્તવનોની આગળ તંત્રીશ્રીએ આ પ્રમાણે નોંધ મુકી હતી : શ્રીમદ્ આનંદઘનજીનાં ખુદ પોતાનાં રચેલાં પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુ પરનાં સ્તવનો નહોતાં મળતાં પહેલા બાવીશ તીર્થકરો પરનાં તેમનાં સ્તવનો પર યશોવિજયજીએ, જ્ઞાનવિમલસૂરિએ અને જ્ઞાનસારજીએ બાળાવબોધ રચ્ય જણાય છે, પણ નીચેનાં ૨૩મા અને ૨૪મા જિન પરનાં સ્તવનો આખરે સાંપડ્યાં લાગે છે. આ સુરતના એક ભંડારમાંથી મળી આવેલાં, તે શ્રીયુત દામજી કેશવજીની કૃપાથી તેમની પાસેથી ઉતારી અત્રે મૂક્યાં છે.” (૨૩) ચેય વિનાશેં હો ગ્યાન વિનશ્વર કાલ પ્રમાણે રે થાય. સુ0 સ્વ કાલૅ કરી સ્વ સત્તા સદા તે પર રીત ન જાય. સુત્વ ધ્રુ. ૫. પર ભાર્વે કરી પરતા પામતી સ્વ સત્તા થિર ઠાંણ. સુ0 આત્મ ચતુષ્કમયી પરમાં નહીં તો કિમ સહુનો રે જાણ. સુવ ધ્રુ. . અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં દ્રવ્ય સકલ દેખંત. સુ0 સાધારણ ગુણની સાધર્ખતા દર્પણ જલનં દૃષ્ટાંત. સુ૦ ધૂ. ૭. શ્રી પારસ જિન પારસ સમાં પિણ ઇહાં પારસ નાંહિ. સુત્ર પૂરણ રસીઓ હો નિજ ગુણ ફરસનો આનંદઘન મુજ માંહિ. સુવ ધ્રુ. ૮. ઇતિશ્રી પાર્શ્વ જિન સ્તવન. ૨૩ (૨૪) (શ્રી વીર જિન સ્તવન) (રાગ : ધન્યાશી) વીર જીને ચરણે લાગુ વીરપણું તે માંગુ રો મિથ્યા મોહ તિમિર ભય ભાગું જીત નગારું વાગું રે. વી. ૧. છઉમ – વીરજ વેશ્યા સંગે અભિસંધિ જ મતિ અંગે રે સુખમ વૂલ ક્યિારૅ રંગૅ યોગી થયો ઉમંગે રે. વીવે ૨. અસંખ્ય પ્રદેશું વીર્ય અસંખ્યું, યોગ અસંખિત કંપ્યું રે પુદ્ગલ ગણ તિણ ભેંસ વિશેષં યથા શક્તિ મતિ લેખું રે. વી૦ ૩. ઉત્કૃષ્ટ વીર જ ને વેસે યોગ ક્રિયા નવિ પેખે રે યોગ તણી ધવતાને લેમેં આતમ સગતિ ન ખેચેં રે. વી૦ ૪. કામ વીર્ય વર્સે જિમ ભોગી તિમ આતમ રે થયો ભોગી રે સૂરપણે આતમ ઉપયોગી થાઇ તેહ અયોગી રે. વીવ પ. વીર પણું તે આતમઠાણું જાગ્યો તુમચી વાણે રે. ધ્યાન વિનાણે સકતિ પ્રમાણે નિજ ધુવ પદ પહિચાણે રે. વી કે. આલંબન સાધન જે ત્યાગૅ પર પરિણતને ભાંગે રે અક્ષય દર્શન જ્ઞાન વેરાગે આનંદઘન પ્રભુ જાગે રે. વી) ૭. ઇતિશ્રી આનંદઘન કૃતા ચતુર્વિશતિકા સમાપ્તા. ૨૪. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તવના પ્રણમું પદપંકજ પાર્શ્વના જગવાસના અગમ અનુપ રે, મોહ્યો મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપ રે. પ્રણમું ૧. પંક કલંક શંકા નહીં નહિ ખેદાદિક દુ:ખ દોષ રે, ત્રિવિધ અવંચક જોગથી લહે અધ્યાતમ સુખ પોષ રે. પ્રણમું૦ ૨. દુરંદશા દૂરે ટળે ભજે મુદિતા મૈત્રી ભાવ રે, વરતે નિત ચિત્ત મધ્યસ્થતા કરુણામય શુદ્ધ સ્વભાવ રે, પ્રણમું૦ ૩. નિજ સ્વભાવ સ્થિર કર ધરે ન કરે પુ લની ખેંચ રે, સખી હુઈ વરતે સદા ન કદા પરભાવ પ્રપંચ રે. પ્રણમું૦ ૪. છેલ્લાં બે સ્તવનો મહાયોગી આનંદઘન 112 113
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy