SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કરમ કાષ્ટકી હોરી રચાઈ, ધ્યાંન અગન પર જાલી. ઉરાવત કરમ રજ આતિભારી, નિજ સ્વરૂપ ગુણધારી. રત્ન ત્રીરંગ નિજ થલમે સમાઈ સવી દુવીધા ગમાઈ. આનંદથન નિજ મંદિર આઈ, જિત નિસાન બજાઈ કોટ કલપના રે કરમ માહરાં દૂર થયાં. પીઉ માહરા પીઉં માહરા પ્રીતેં પધાર્યા, મુઝ પર કીધી મહેર, લાલચ હતી મુને લાલ મલ્યાની, થઈ છે લીલાલહેંર. (૫) અધ્યાત્મગીત આનંદઘનનાં પદોમાં કે એમની કૃતિઓમાં ક્યાંય ન મળતું એવું એક અધ્યાત્મગીત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહમાંથી પ્રાપ્ત થયું છે. પ્રભુપ્રીતિનો તલસાટ વ્યક્ત કરતું આ ગીત મીરાંના તલસાટની યાદ આપે છે. શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહની આ હસ્તલિખિત પ્રતનો ક્રમાંક ૧૩૮૯૩ છે. આ હસ્તલિખિત પ્રતમાં આનંદઘનજીનાં પદો અને આનંદઘનજીનાં બે સ્તવનોની વચ્ચે આ અધ્યાત્મગીત મળે છે. આથી આ કૃતિ આનંદઘનની લાગે છે. વળી, આનંદઘનનો નામોલ્લેખ પણ છે. ચાર ગાથા ધરાવતું આ અધ્યાત્મગીત પ્રતિના પૃષ્ઠ ૪A પર મળે છે. પ્રતિનો લેખનસંવત ૧૮૭૨ ફાગણ વદ ૧૦ છે અને લિપિકાર પં. દયાવિજયગણિ અને લેખસ્થળ કડી છે. પ્રતિની સ્થિતિ શ્રેષ્ઠ છે અને અનુસ્વારનો વધુ પડતો ઉપયોગ ધ્યાન ખેંચે છે. એ અધ્યાત્મગીત આ પ્રમાણે છે : અખંડ બિરાજ્યો રે હર્વે, જુગ દેશીયાં. પલક ન છોડું પ્રીતમ તુંમનેં, રાખું રીદયા માંહે . સ્યું કરસ્યું સોકડલી ધૂતી. બુધીઈ બલ નવ થાય. યિયરમાં મેણાં રૈ તુમ સાě સબલ સહ્યાં. મહાયોગી આનંદઘન યા ૪ 62 યા ૫ કોટ કોટ ૧ કોટ ૨ ઊઠતાં બેસતાં હસતાં રમતાં, દિન દિન અધિક સસ્નેહ . ત્રીવિષૅ તાપ સમ્યા તેન માંહેથી, અમૃતના વરસ્યા મેહ હવે નિવ જઈ ઈ રે વહેં હૈં પુર વહ્યાં. જીહાં જોઊં તીહાં તુઝ વીણ દુજો ઓર ન દેખું કોય. આનંદઘન રસબસ થયા, આવાગમન નવી હોય. અંતર ભાગોરે સુખ ન કહેવાયૅ કહ્યાં. કોટ ૪ (૬) શ્રી આદિજિન સ્તવન “આનંદઘન બાવીસીમાં અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીએ લખેલાં બાવીસ સ્તવનો મળે છે, પરંતુ એ સિવાય પણ અન્ય સ્તવનો પ્રાપ્ત થયાં છે. શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની ક્રમાંક ૬૭૬૯ની પ્રતિમાં પત્ર-૨ પર આનંદઘનજી રચિત શ્રી આદિજિન સ્તવન મળે છે. આ પદ “આનંદઘન ગ્રંથાવલી'માં થોડા ભાષાભેદ સહિત મળે છે. સાત ગાથા ધરાવતું આ સ્તવન શ્રી આદિનાથ ભગવાનની મનોહર શોભાને આલેખે છે. અને એમાં હૈયામાં ઊછળતી ભક્તિભાવનાનો અનુભવ થાય છે. પ્રતિની સ્થિતિ શ્રેષ્ઠ છે અને તેનું લેખનવર્ષ વિ. સં. ૧૮૯૫ની ફાગણ વદ ૧૩ છે તેમજ લિપિકારનું નામ પં. નગવિજય છે. આ સ્તવન નીચે પ્રમાણે છે : ચ્યારુંજી મંગલ ચ્યાર આજ મારે ચ્યારુંજી મેગલ ચ્યાર. દેખ્યો મૈ દરસ સરસ જિનજીકો સોભા સુંદર સાર. છિન છિન મન મોહન વસીયો ઘસ કેશર ઘનસાર. વિવિધ ભાંતકે પુષ્પ મંગાવો સફલ કરી અવતાર. કોટ ૩ ધૂપ ઉખેવો કરો આરતી મુખ બોલો જયકાર. ચોમુખ પ્રતિમા ચ્યાર. કવન 63 સમવસરણ આદિસર સોહ આ ૧ આ ૨ આ ૩ આ ૪ આ પ ટેક
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy