SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ MONDAY 26TH OCTOBER 1914, સંવત ૧૯૭૧ ના કારતક સુદ ૮ સેમવાર તા. ૨૬ મી અકટોમ્બર સને ૧૯૧૪. મુ. તા. ૬ જહેજ સને ૨૩૩ર ઉ. ૬-૧૮ અ. પ-૪ર. પા. રે. ૧પ-આદીબેહસ્ત સને ૧૨૪ હું તુંથી પ્રભુ વેગળા – તેમાં પ્રભુનો વાસ. હુંમાં પરમાતમ રહ્યા – શબ્દાતીત એ ખાસ – ૧. તત્ત્વમસિસછદં સદા – બોલે નાવે પાર. શબ્દવાચ્ય ભાવાર્થમાં – ધ્યાને જય જયકાર – ૨. નાગાથી પ્રભુ દૂર છે – પ્રભુ નાગાની પાસ. નાગા ઢાંક્યા પ્રભુ નહીં – સમજે તે પ્રભુદાસ – ૩. હા કહેતાં પ્રભુ ના થતી ના કહેતાં છે અણિ અસ્તિનાસ્તિમય છે પ્રભુ – વ્યષ્ટિ અને સમષ્ટિ – ૪. સાધનથી પ્રભુ વેગળા – સાધનથી પ્રભુ હેલ. સાધન સાધક સાધ્યના – એકત્વે છે ગેલ – ૫. શબ્દ થકી પ્રભુની ખરી – જાણો પૂર્ણ જુદાઈ. પણ શબ્દ વિના પ્રભુ ના જડે – પરા ફુરણા આઈ – ૬. તપ જપમાં પ્રભુ ના રહ્યા – તપ જપ પ્રભુને માટે. પ્રભુ કિરિયાણું પામવું – શ્રી સદ્ગુરુના હાર – ૭. બોલ્યો પ્રભુ દેખાડતો – મૌની કરાવે ઝાંખી. જાગ્યો પ્રભુ જગાડતો – દેખે તો છે આંખ – ૮. બોલ્યાથી પ્રભુ વેગળા – કપટ ગાઉ કરોડ. દૂરે પ્રભુજી જાણીએ - અન્તરૂમાં લય જોડ – ૯. જ્યાં ત્યાં પ્રભુજી શોધીયા – પણ પ્રભુજી પાસ. આનન્દ જ્યોતે ભણીએ – રાખી મને વિશ્વાસ – ૧૦. પ્રેમ વિના પ્રભુજી નથી – કરો ઉપાય હજાર. મરજીવો પ્રભુને મળે – બીજા ખાવે માર – ૧૧. નિર્મલ ચિત્ત થયા વિના – ઈશ્વર ના દેખાય. કોટી ઉપાય કરો કદી – કાક ન ધોળો થાય – ૧૨. રહેણી પ્રભુની રાખીને - લય અત્તરમાં ધાર. બુદ્ધિસાગર સગુરુ – ગમથી શિવપદસાર – ૧૩. યુરોપમાં અધ્યાત્મજ્ઞાન નથી. ત્યાં જડભોગોથી સુખ મળે છે એવી પ્રાયઃ મુખ્ય જડવાદી માન્યતા છે, તેથી આર્યાવર્તના ચૈતન્યવાદની દષ્ટિએ યૂરોપ અઢી વર્ષના બાળક જેવું છે.
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy