SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ઉલેખે અને જે વાવ એ ત્રણના સમુદાયને માટે “નાટ્ય” તેમ જ “તૌત્રિક' એમ બે પર્યાય અપાયા છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે જ્યારે આ સમુદાય પ્રેક્ષણ (નાટક) માટે યોજાયો હોય ત્યારે એને “સંગીત’ કહે છે ( કેમકે એમાં સમૂહગાયન હેય છે) અને ભરત વગેરેને નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા વિધાન અનુસાર જે નાટ્ય હોય તે તેને નાટ્યધમિકા' કહે છે. ગાનાદિવાચક સંસ્કૃત અને પાઇય શબ્દો – અભિવના ૧૮૪માં ગાન, ગાધર્વ, ગીત, ગીતિ અને ગેયને એકબીજાના પર્યાય તરીકે ઉલલેખ છે. આને અંગેની સંપન્ન વિકૃતિ (પૃ. ૧૧૭)માં કહ્યું છે કે જે ગવાય છે તે “ગેય' છે અને ગન્ધએ જે કરેલું છે તે ગાધવે છે. વિશેષમાં રાગ, ગીતિ વગેરે “ગીત” છે; “પ્રાવેશિકી ” વગેરે ઘવારૂપ જે હોય તે “ગાન’ છે; અને પદ, રવર અને તાલ ઉપર પૂર્ણ લક્ષ્ય આપવું તે “ગાન્ધર્વ' છે. આમ ભરત વગેરેએ જે ભેદે બતાવ્યા છે તે અર્શી જતા કરાયા છે. ૧ ભારતીય અને વિશેષતઃ જૈન વાધો સંબધી વિસ્તૃત માહિતી મેં મારા લેખ નામે “The Jaina Data about Musical Instruments”માં આપી છે. આ લેખના પહેલા ત્રણ હપ્તા The Journal of the Oriental Instituteના Vol. II, No. 3; Vol. II, No. 42x2 Vol. III, No. 24i છપાયા છે, જ્યારે ચોથે હપતે Vol. Iy, No. 4માં છપાયો છે. ત્યાર બાદ પહેલા ત્રણ હપ્તાગત લખાણ સને ૧૯૭૦માં “Sangeet Kala Vihar Englieb Supplement". Vol. I, No. 3 240 Vol. I, No. 4 Hi તેમ જ “Monographs on Music: ” તરીકે પણ પ્રસિદ્ધ કરાયું છે. . શ્રી. સુનીલાલ શેષે રચેલું “મટ છાપ છે. વાયંત્ર” નામનું પુસ્તક પ્રાચીન વાદ્યો અને ઉપયોગી ગણાય છે. એ “અ. ભા. બ્રજ સાહિત્યમંડલ", મથુરાથી પ્રકાશિત કરાયું છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy