SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉલેખે અને ગ્રન્થ તેમાં “પુત્રગય” (પૂર્વગત) વિસ્તાર અને મહત્ત્વની દષ્ટિએ અમ સ્થાન ભોગવે છે. એ રચાયા બાદ અગિયાર અંગોની રચના કરાઇ છે. આ પુત્રંગયના ચૌદ પેટાવિભાગે છે. એ દરેકને “પુષ્ય' (પૂર્વ) કહે છે અને એના અવાંતર વિભાગને “પહુડ” (પ્રાભૂત) કહે છે. વિરસંવત ૧૦૦૦માં દિવાયને સમૂળગો નાશ થયો તે પૂર્વે એમાંના કેટલાક અંશો ઉદ્દધૃત કરાયા હતા અને એ પૈકી કેટલાક આજ દિન સુધી એક યા બીજી રીતે સચવાઇ રહ્યા છે. - વ્યાખ્યાનની મર્યાદા – જૈન આગમ વિષે આથી વિશેષ માહિતી આ વ્યાખ્યાનમાં આપવાની આવશ્યકતા નથી એટલે આ વ્યાખ્યાનની મર્યાદા વિષે બે બેલ હું કહીશ. જૈન સાહિત્ય જેમ ઉત્તર હિન્દની સરકૃત, પાઇપ (પ્રાકૃત) અને ગુજરાતી, હિન્દી વગેરે વિવિધ પુત્રીરૂપ ભાષાઓમાં રચાયું છે તેમ દક્ષિણ હિન્દની કન્નડ ( કાનડી), તામિલ ઇત્યાદિ કાવડ ભાષાઓમાં પણ રચાયું છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં હું સંસ્કૃત, પાઈય અને ગુજરાતી કૃતિઓનો અને તે પણ અમુકને જ વિચાર કરી શકું તેમ છું. આમ આ વ્યાખ્યાન મર્યાદિત છે. સંગીત અને અભિનયકળાને આવિર્ભાવ – હજાર વર્ષો પૂર્વે કેટલીયે આધ્યાત્મિક અને ભૌતિક કળાઓની જન્મભૂમિ બનવાનું અને જાતજાતની કળાને પુષ્કળ પ્રમાણમાં વિકાસ પણ સાધવાનું સદ્દભાગ્ય આપણું આ દેશને પ્રાપ્ત થયું છે. આ કળાઓમાં સંગીત, ત્ય અને નાટયને પણ સ્થાન મળ્યું છે. સંગીતની કળાને જન્મ તે જગજૂને ગણાય. એને વિશિષ્ટ આવિર્ભાવ સામવેદના રચના સમય ૧ અને વ્યાપક અર્થ કરાતાં અપભ્રંશને એમાં અંતર્ભાવ થાય છે. એથી અત્ર મેં એને પણ ઉલ્લેખ કર્યો નથી.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy