SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગ૬ લાગણી અનુભવે છે તથા બીજાઓને ગુણમાં ચઢિયાતા અગર તો બીજાઓની સંપદા-ધન-વિભૂતિ-ઐશ્વર્યાદિ જોઈને દ્વેષરૂપ થઈ હૃદયમાં શવ્યસહિત થઈ જાય છે તેને નિશ્ચયથી એટલે કે ખરેખર રૌદ્રધ્યાનનું ચિન્હ-લક્ષણ ગણવું. શ્રેરે છે મૃતે સાવધાપરમા , કે यो हर्षस्त ध्धि विज्ञेयं रौद्र दखानलेन्धनम्॥ જીવોને વધ-બંધન વિ. તીવ્ર દુ:ખ અગર પરાભવ, અપમાન, ઉતારી પાડવા વિ. પ્રસંગ સાંભળવામાં આવતાં, દેખવામાં આવતાં, પેપરમાં વાંચવામાં આવતાં અગર તેને સ્મરણ કરવામાં જે હર્ષ-આનંદ ઉપજે છે તે રૌદ્રધ્યાન જાણવું જે પોતાના દુ:ખરૂપી અગ્નિને વધારવામાં ઈંધન-બળતણ પૂરું પાડવા બરાબર સમજવું આજકાલ દરરોજ ટી.વી.માં સ્ત્રી-પુરુષની કામચેષ્ટાનાં બિભત્સ તેમજ કામવૃત્તિને ઉત્તેજિત કરનારાં અને વાતવાતમાં મારામારી અને રીવોલ્વર કાઢવાના દશ્યો જોઈ મઝા માણનારા કુસંસ્કાર અને તેના ફળસ્વરૂપ દુર્ગતિ (જેનાં દુ:ખો સાંભળતાં હાંજા ગગડી જાય તો ભોગવનારની તો વાત જ શી ?)નો કર્મબંધ કરે છે. આ વાત વીર પ્રભુના જૈનશાસન સિવાય બીજે જોવા પ્રાય: નહિ મળે. बहवारंभ परिग्रहेषु नियतं रक्षार्थमम्युचतो ___ यत्संकल्पपरंपरां वितनुते प्राणीह रौद्राशय:। यच्चालम्ब्य महत्वमुन्नतमना राजेत्यहं मन्यते तस्तुर्य प्रवदन्ति निर्मलधियो रौद्रं भवाशंसिनाम।। – જ્ઞાનાર્ણવ ગાથાં ૧૨૫૧ પાન-૪૩૭ જે જીવ ઘોર આરંભ (અસંખ્ય ત્રસજીવોની હિંસાયુક્ત) અને પરિગ્રહના વિષયમાં તેના રક્ષણ માટે સદાય પ્રયત્નશીલ રહે છે અને તેને વધારવા આદિ માટે અનેક સંકલ્પ-વિકલ્પોની પરંપરાને વિસ્તારે છે તથા આપવડાઈનો આશ્રય લઈ મનમાં ફૂલ્યોફાલ્યો થકો હું રાજા, કારખાનાનો માલિક, અબજપતિ, વિશાળ ભવન, મહેલનો , માલિક (જેમાં બાગબગીચા, સ્વીમીંગ પુલ ઘાસના (Lawn) ઈત્યાદિક) પોતાને સમજે છે અને બીજાઓને બતાવી તેનાં બણગાં ફેંકી ગાલમાં હસે છે અને તેમાં અભિમાન કરે છે એને નિર્મલ બુદ્ધિના ધારક ગણધરદેવ ચોથું વિષય-સંરક્ષણાનંદ રૌદ્રધ્યાન કહે છે જે સંસાર પરિભ્રમણ અને તેના હેતુઓમાં ડુબાડુબ ભવાનંદી જીવોને હોય છે. આવા જીવોને ભગવાને બાલજીવ કહ્યા છે ભલે તેની ઉમર ૭૦-૭૫ વર્ષની હોય. : આલોચના :– અંતરંગમાં સમયે સમયે થતા દોષોને જોતો રહે. તેનું ફળ જુએ અને તેના નિવારણ માટે સદાય પ્રયત્નશીલ રહે અને પોતાની નિંદા તેમજ ગહ કરતો રહે. એ રીતે જીવ આત્મવિકાસ સાધી શકે છે. ' – શુદ્ધોપયોગ:साम्यं स्वास्थ्यं समाधिश्च योगाश्तो निरोधनम्। शुद्धोपयोग इत्येस्ते भवन्त्येकार्थ वाचका:॥ સામ્ય, સ્વાચ્ય, સમાધિ, યોગ, ચિત્તનો નિરોધ અને શુદ્ધોપયોગ એ બધા એકાર્થ વાચક શબ્દો છે. જે ધર્મપરિણતસ્વરૂપ જીવ શુધ્ધોપયોગી હોય તો; તે પામતો નિવણસુખ, નેસ્વર્ગસુખ શુભયુક્ત જે. | ૧૧ || અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે; નિત્ય સહસ્ત્રદુ:ખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે. || ૧૦ || અત્યંત, આત્મપન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને; વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધોપયોગ પ્રસિદ્ધને | ૧૩ II - ૧૯ -
SR No.034220
Book TitleMagganusariya
Original Sutra AuthorN/A
AuthorD S Shah
PublisherGnatputra Bhagwan Mahavir Trust
Publication Year
Total Pages156
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy