SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે તો તેવી જ છે. છે. પાંચમા વેગમાં શરીર દગ્ધ થવા લાગે છે. દાહ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા વેગમાં ભોજનમાં રૂચી થતી નથી. ખાવાનું પણ ગમતું નથી. સાતમા વેગમાં મહામુચ્છ ઉત્પન્ન થાય છે. બેહોશ જેવો બની જાય છે. આઠમા વેગમાં ઉન્મત્ત, પાગલ જેવો બની જાય છે. નવમા વેગમાં પોતાને મરણની શંકા ઉપજે છે અને અંતીમ દસમા વેગમાં પ્રાણને તજી દે છે. -: કામોત્તેજનાનાં ૧૦ બાહ્યકારણો :आधं शरीर संस्कारो, द्वितीयं वृष्य सेवनम्। तौर्यत्रीकं तृतीयं, स्यात्संसर्गस्तुर्यमिष्यते॥ ७ ।। योषिविषय संकल्प : पंचमं परिकीर्तितम्।। तदङगवीक्षणं षष्ठं संस्कार : सप्तमं मतम्।। ८ ।। पूर्वानुभोगसंभोग स्मरणं स्यात्तदष्टमम्। नवमं भाविनी चिंता दशमं वस्तिमोक्षणम्॥ ९॥ ૧) શરીરના સંસ્કાર-વૃંગારાદિ કરવું, ૨) પુષ્ટરસ, ઘી-મલાઈ યુક્ત મેવા મિઠાઈનું સેવન, ૩) ગીતનૃત્યાદિ સાંભળવું તેમજ જેવું ૪) સ્ત્રીનો સંસર્ગ કરવો, ૫) સ્ત્રી સંબંધી કોઈપણ પ્રકારનો અંતરંગમાં સંકલ્પ કરવો, ૬) સ્ત્રીના અંગોને દેખવાં, ૭) દેખેલા અંગોના સંસ્કાર હૃદયમાં સ્થાપિત કરવા, ૮) ભૂતકાળમાં જેની તેની સાથે કરેલા ભોગ-ઉપભોગને યાદ કરવા, ૯) આગામી કાળમાં ભવિષ્યમાં તે ભોગોની મનમાં ઈચ્છા રાખવી અને ૧૦) શુકનું શરણ-છૂટી જવું, વિર્યપાત. નાસને યાને ધનને મોનને સ્થિતિ. क्षणमात्रमपि प्राणी प्राप्नोति स्मरशल्यत:॥ ३६॥ . - કામરૂપી શલ્ય કહેતાં કાંટાથી, બાણથી વિંધાયેલ જીવને બેસતાં, સૂતાં, ચાલતાં, સ્વજનમાં કે ભોજનમાં ક્યાંય પણ માત્ર પણ ચેન પડતું નથી. वित्तव्रतबलस्यान्तं स्वकुलस्य च लाञ्छनम्। - મર કા સમર્થ ન ભરાર્જ: પતિ | કામથી પીડિત પુરુષ પોતાના ધન, ચારિત્ર અને બળના નાશને જોતો નથી. તેમજ પોતાના કુળને કલંક લાગવાને તેમજ મરણ સુધીના ભયને પણ ગણતો નથી. કામની પીડા એવી છે કે ઉત્તેજીત થતાં હિતાહિતનો કોઈ વિચારજ રહેતો નથી. अनासद्यः जनः कामी कामिनी हृदय प्रियाम्। વિકસાનનોપાવૈ : સઇ: હં રત્નમતિ ૩૧ R કામી પુરુષ જે કદી પોતાની પ્રાણવલ્લભ સ્ત્રીની પ્રાપ્તિ કરવામાં નિષ્ફળ જાય છે તો ઝેર ખાઈને, શસ્ત્રથી પોતાનો ઘાત કરીને, ઉપરથી પડતું મૂકીને, કુવામાં પડીને કે શરીર પર ઘાસતેલ છાંટીને બળી મરીને અપઘાત કરવા તત્પર થઈ જાય છે. -: સંસારમાં જિલ્ડા ઈન્દ્રિય અને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક-તિર્યંચ ગતિમાં લઈ જાય તેવાં મહાનિધ કાર્યો કરે છે. સંસારમાં પરધનની વાંછા, પરસ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતાજ જીવના પરિણામને મલીન કરનાર છે. રણક્ષેત્રમાં દુશ્મનો સામે એકલે હાથે લડનાર સુભટો અને રાજકારણમાં ઉચ્ચ સ્થાન ધરાવતા વિશ્વના રાજકારણીઓ પણ કામથી મહાત થયાના ઘણા દાખલાઓ જેવાંમાં આવે છે. "क्रोधादिन् मानसान् वेगान्, पुष्टमांसादनं तथा। परितज्यऽसहिष्णुत्वं, लप्स्यसे मनस: स्थितिम्॥" - ૧૧૨ -
SR No.034220
Book TitleMagganusariya
Original Sutra AuthorN/A
AuthorD S Shah
PublisherGnatputra Bhagwan Mahavir Trust
Publication Year
Total Pages156
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy