SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અમાત્મર ઉપર. [ જિનેશ્વરે કહ્યું છે. લક્ષણના ભેદવડે તે ભિન્ન નથી. તેથીકરીને પોતાના ગુણનાં એક જ આધાર હાવાથી તથા ચૈતન્યરૂપ અતિવડે કરીને એક જ હાવાથી સર્વે આત્માઓની એકતા જાણવી. પરંતુ સત્તાથી એકતા જાણુવી નહી. ૬. શંકા—અનેક સ્વરૂપવાળા જ્ઞાનાદિકની સાથે આત્માની એકતા શી રીતે થાય? એ શંકાપર દૃષ્ટાંત આપે છે.-~~~ प्रभानैर्मल्यशक्तीनां यथा रत्नान्न भिन्नता । ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥ ७ ॥ મૂલાથે—જેમ રનની કાંતિ, નિર્મળતા અને શક્તિ રસથી જાદી નથી, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્માનાં લક્ષણા આત્માથી જૂદાં નથી. ૭. ટીકાર્ય—જેમ ક્રાંતિ, નિર્મળતા અને શક્તિની એટલે વાંછિત વસ્તુને પરિપૂર્ણ કરવાના પ્રભાવની રલથી એટલે ચંદ્રકાંત ચિંતામણિ વિગેરે મણિથી ભિન્નતા નથી, તે જ પ્રકારે આત્માથી જ્ઞાન, દર્શન અને ચારિરૂપ લક્ષણાની ભિન્નતા નથી. ગુણુ અને ગુણીના અભેદ સંબંધ હોવાથી તેમની એકયતા છે. ૭. आत्मनो लक्षणानां च व्यवहारो हि भिन्नता । षष्ठ्या दिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ ८ ॥ મૂલાર્જ-વ્યવહાર નય ષષ્ટી વિગેરે વિભક્તિના વ્યપદેશે કરીને આત્મા અને તેનાં લક્ષણાની ભિન્નતા માને છે, પણ નિશ્ચય નય તેમ માનતા નથી. ૮, ટીકાર્ય—આત્માની એટલે જીવની અને તેનાં જ્ઞાનાદિક લક્ષણાની વ્યવહાર નય પછી વિગેરે વિભક્તિના વ્યપદેશે કરીને એટલે પ્રયાગે કરીને ભિન્નતા માને છે. જેમ પુષ્પના ગંધ, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન વિગેરે. પરંતુ નિશ્ચય નય તે પ્રકારે ભિન્નતા માનતા નથી. ૮. તે જ દૃષ્ટાંતવડે બતાવે છે. घटस्य रूपमित्यत्र यथा भेदो विकल्पजः । आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः ॥ ९॥ ભૂલાથે—જેમ ઘટનું રૂપ, એ ઠેકાણે ઘટને રૂપના ભેદ વિકલ્પથી ઉત્પન્ન થયેલા છે, તે જ પ્રકારે આત્માના ગુણા, એ ઠેકાણે પણ વિક પથીજ ભેદ ઉત્પન્ન થાય છે, પણ તે તાત્વિક નથી. ૯. ઢીકાર્ય—જેમ ઘટનું રૂપ, એમ કહેવાથી આ ઠેકાણે એટલે ષષ્ઠી Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy