SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ અધ્યાત્મસાર ભાષાંતર. [ પંચમ - ટીકાળું–જે આગળ કહેવામાં આવશે એવી તેલશ્યાની વૃદ્ધિ એટલે તેજની જેમ આત્મધર્મને પ્રકાશ કરનારી જ્ઞાન અને કરૂણદિક રૂપ પરિણામની સમૃદ્ધિ પર્યાયકમની વૃદ્ધિથકી એટલે ચારિત્ર ગ્રહણ કર્યાના દિવસથી આરંભીને માસ, બેમાસ વિગેરે ચારિત્ર સમયના અનુકમની વૃદ્ધિથકી ભગવતી વિગેરે સૂત્રોમાં કહેલી છે, તે શુભ લેશ્યાની વૃદ્ધિ આવા પ્રકારના જ્ઞાનયોગીને જ ઘટે છે તેમનામાં જ દેખાય છે. ૪૧. કહેલી વેશ્યાવાળા પણ લેયાને) કિયાના ઉપદેશવડે દેખાડે છે. विषमेऽपि समेक्षी यः स ज्ञानी स च पंडितः। जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥४२॥ મૂલાઈ–જે વિષમને વિષે પણ સમદષ્ટિવાળા હોય છે, તે જ જ્ઞાની, તે જ પંડિત અને તે જ જીવમુક્ત કહેવાય છે. તે જ સ્થિર બ્રહ્મને પામે છે. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે. કર. ટીકાર્થ-જે જ્ઞાનયોગી વિષમને વિષે પણ એટલે જાતિ, કુળ, રૂપ, વિનય, વિદ્યા, પ્રેમ અને બુદ્ધિ વિગેરેવડે હીન અથવા અધિક પ્રાણુઓને વિષે પણ સમદષ્ટિવાળા એટલે પિતાના આત્માની તુલ્યા દષ્ટિવાળા હોય છે, તે જ પુરૂષ જ્ઞાની એટલે સર્વ શે (જાણવાલાયક) પદાર્થને જાણનારા, તે જ પંડિત એટલે વિદ્વત્તાના ફળરૂપ ક્રિયાને પામનારા તથા તે જ જીવમુક્ત એટલે આ ભવને વિષે જ કર્મબંધ રહિત હોય છે, અને તે જ સ્થિર-નિશ્ચળ પરમાત્મરૂપ બ્રહ્મને પામે છે. તે વિષે સાંખ્ય વિગેરે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. કર. તે જ કહે છે – विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥ ४३ ॥ મૂલાર્થિ–પંડિત પુરૂષે વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણ ઉપર, ગાય ઉપર, હાથી ઉપર, કૂતરા ઉપર અને ચંડાળ ઉપર સર્વત્ર સમદષ્ટિવાળા હોય છે. ૪૩. 1 ટકાળું–જ્ઞાની પુરૂષ વિદ્યા એટલે શાસ્ત્રને વિષે વિદ્વત્તા અને વિનય એટલે નિવૃત્તિના પરિણામપૂર્વક પૂજ્યની પૂજા કરવાને સ્વભાવ એ બન્નેથી યુક્ત એવા બ્રાહ્મણ ઉપર, ગાય ઉપર, હાથી ઉપર, કુતરા Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy