SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થઅનિત્ય નથી.” આ પ્રમાણે એકાંત મતવાળા દર્શને આત્માને વિષે સર્વથા એક નિત્ય પક્ષનું જ સમર્થન કરે છે. તેમના મતમાં હિંસા, અહિંસા, અંધ અને મેક્ષાદિક શી રીતે સંભવે? કઈ પણ પ્રકારે સંભવે નહીં. કારણ કે તેઓના મતમાં કેઈપણ પ્રકારે-કેઈપણ પરિણામથી જીવને કદાપિ નાશ નહીં થવાથી અર્થાત્ પૂર્વના સ્વરૂપથી વિકાર રહિત હેવાથી એ સર્વ સંભવતા નથી. કહ્યું છે કે-“જીવના પર્યાયને વિનાશ કરે, તેને દુઃખની ઉત્પત્તિ કરવી તથા તેને કલેશ આપ તેનું નામ જીવવધ છે. આવા પ્રકારને જિનેશ્વરે કહેલો વધ (હિંસા) પ્રયતવડે વજેવો.” આ પ્રમાણે કહેલે વધ જીવના એકાંત નિત્ય પક્ષમાં કોઈપણ રીતે સંભવ નથી. તેથી હિંસાદિક શી રીતે સંભવે? ન જ સંભવે. ૨૪. આને એકાંત નિત્યવાદી જવાબ આપે છે કેमनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः। हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरार्थसमाजतः ॥२५॥ ભૂલાઈ –મનને અને તેના વ્યાપારને નાશ એ જ આત્માનું મરણ છે, માટે હિંસાદિક સંભવે છે. તે જવાબ પર સિદ્ધાન્તી કહે છે કે જો તું તેવી હિંસા કહેતો હોય તે તે તારું કહેવું અસત્ય છે. કારણકે તેથી તે આર્થ સમાજથી તત્ત્વની સિદ્ધિ થઈ. ૨૫. કાળું–હે જૈન! અહંકારને માનનારી મતિવાળા અને સુખ દુખસંબંધી જ્ઞાનના આધારભૂત મનને અથવા તેના વ્યાપારને નાશ એ જ જીવનું મરણ–વધ કહેવાય છે માટે હિંસાદિક સંભવે છે. આ તેને જવાબ સાંભળીને સિદ્ધાંતી કહે છે કે–જે તે મનગના નાશ રૂપ આમાનું મરણ એ જ હિંસા-પ્રાણિવધ તમોને ઈષ્ટ હોય તે તે તમારું કહેવું સિદ્ધ થતું નથી. કારણ કે તેથી તે સદ્ભૂત (પરમાર્થ) હિંસાભાવ રૂ૫ તત્વની આર્થ સમાજથી સિદ્ધિ થાય છે. એટલે અર્થ પણને સમાજ-હિંસક અને હિંસનીયને સગ થવાથી થતી હિંસાની ઉત્પત્તિથી તેની સિદ્ધિ છે, અને તેની સિદ્ધિ થવાથી સદભૂત હિંસા સિદ્ધ થાય છે. તે પરમાર્થ હિંસા માગને નાશ થવાથી સિદ્ધ થતી નથી. કારણ કે મન જડે છે, અને તે આત્માથી ભિન્ન છે, માટે તે મનને નાશ થવાથી આત્માને શું? કાંઈ જ નહીં. કારણ કે તે તે માત્ર કપિલ કહિપત જ છે. જડ વસ્તુની હિંસા કહેવાય નહીં, તેને વિષે શસ્ત્રાદિકનો પ્રહાર થતું નથી. વળી Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy