SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૪ અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીયકિર્થ– એક ક્ષણવાર પણ મનને સર્વ વિષથી નિવૃત્ત કરીને એક સમતાનો જ સ્વીકાર કરાય, તે તેથી એ અપૂર્વ આનંદ થાય છે, કે જે બીજાને શ્રવણ કરાવી શકાય–કહી શકાય તેમ નથી. ૪૬. સમતાના આનંદને સમતાવાન જ જાણે છે, બીજે કઈ જાણી શકતું નથી, તે દષ્ટાંતસહિત કહે છે – કુમાર જ યથા વેરિ સુર્વ તિમોગના ' न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥४७॥ મૂલાર્થ–જેમ મારી કન્યા પતિના ભેગથી ઉત્પન્ન થયેલું સુખ જાણતી નથી, તેમ જ લેકે ગીજના સમતાના સુખને જાણતા નથી–જાણુ શકતા નથી. ૪૭. ટીકાર્ય–જેમ કુમારી-પાંચ સાત વર્ષની અવિવાહિત કન્યા - તેની સાથે મૈથુનાદિકનું સેવન કરવાથી ઉત્પન્ન થતા સુખને-આનંદને જાણતી નથી, તેમ જ લેકે વિષય સુખમાં મગ્ન થયેલા ભૂખે જને યોગીઓના સમતાથી ઉત્પન્ન થયેલા સુખને આનંદના સમૂહને પિતે અનુભવેલું નહીં હોવાથી જાણતા નથી જાણી શકતા નથી. ૪૭. ' સમતાવાન પુરૂષને પિતાની પૂજા, પ્રતિષ્ઠા વિગેરે થાય એવી ઈચ્છા હોતી નથી, તે કહે છે. नतिस्तुत्यादिकाशंसाशरस्तीवः स्वमर्मभित्।। समतावर्मगुप्तानां नार्तिकृत्सोऽपि जायते ॥४८॥ મૂલાથ–મસ્કાર અને સ્તુતિ વિગેરેની ઈચ્છારૂપી બાણ તીવ્ર અને આત્માના મર્મસ્થાનને ભેદનારું છે, તે પણ સમતારૂપી બંરથી રક્ષણ કરાયેલાને પીડાકારી થતું નથી. ૪૮. કાળું–નતિ એટલે મને રાજાદિક ભક્તિથી નમસ્કાર કરે, તથા અતિ એટલે સર્વ લેકે મારી પ્રશંસા કરે, એ વિગેરે એટલે આહાર, ઉપધિ, શિષ્ય વિગેરેથી મારે સત્કાર થાઓ ઈત્યાદિક ઈચ્છારૂપી બાણ એ આત્માના મર્મસ્થાનને—ધર્મરૂપી જીવનસ્થાનને અર્થાત નિસ્પૃહપણાને ભેદનાર તથા તીવ્ર-અત્યંત ઉગ્ર એટલે દુસહ છે. એ બાણુ પણ સમતારૂપી બપરથી રક્ષણ કરાયેલા એટલે સમતારૂપી બખરને ધારણ કરનારા યેગીઓને પીડાકારી થતું નથી. અર્થાત્ તેવા ગીએને નમસ્કારાદિકની ઈચ્છા જ થતી નથી. ૪૮, Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy