SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીય ટીકાથે—તે મુનિ ! સમતારૂપી અમૃતના સરોવરમાં નિમગ્ન થવાથી-સાન કરવાથી ચક્ષુમાં રહેલું કામવિકારરૂપી ધર્મરૂપ જીવનનું હરણ કરનાર વિષ સુકાઈ જાય છે—અપૂર્વ પ્રભાવે કરીને શેષણ પામે છે, અર્થાત્ નિર્વિકાર દૃષ્ટિ થવાથી કામવિકારના અભાવ થાય છે. તથા ક્રોધ-સ્વ અને પરને સંતાપ કરનાર કોપરૂપ તાપ-દુઃખરૂપી ધર્મ ક્ષય પામે છે. તથા ઉદ્ધૃતપણું એટલે અવિનય અથવા ચપળતારૂપી પાપના લેપ કરનાર મળના નાશ થાય છે.-આટલા ગુણા' સમતારૂપી અમૃત સરોવરમાં જ્ઞાન કરવાથી પ્રાપ્ત થાય છે. એમાં બતાવેલા દાષા સમતાના વિરોધી હોવાથી સમતાપાસે રહી શકે તેમજ નથી. ૪૧. ૧૩૧ ફક્ત એક સમતા જ સુખને માટે છે, તે કહે છે.जरामरणदावाग्निज्वलिते भवकानने । सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥ ४२ ॥ મૂલાથે—જરા અને મરણુરૂપ દાવાનળવ` સળગેલા આ સંસારરૂપી અરણ્યનેવિષે સુખનેમાટે અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન એક સમતા જ છે. ૪૨. ટીકાથ—જરા તે વૃદ્ધાવસ્થા અને મરણ તે મૃત્યુ તરૂપ દાવાગ્નિવર્ડ-સર્વના નાશકારક હેાવાથી વનાગ્નિ ( દાવાનળ )વડે સળગેલા આ સંસારરૂપી અરણ્યનેવિષે અમૃતમય મેઘની વૃષ્ટિની જેવી એક સમતાજ પ્રાણીઓના સુખનેમાટે-આનંદને માટે છે. ૪ર એજ વાતને દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે. आश्रित्य समतामेका निर्वृता भरतादयः । न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किश्चन ॥ ४३ ॥ ભૂલાથે—એક સમતાના જ આશ્રય કરીને ભરત ચક્રી વિગેરે મેક્ષ પામ્યા છે; તેઓને કાંઈપણ કારી અનુષ્ઠાન ( ક્રિયા ) હતું નહીં. અર્થાત તેઓએ કાંઈપણ કષ્ટકારી ક્રિયા કરી નહેાતી. ૪૩. ટીકાથે—એક—અદ્વિતીય સમતાના જ આશ્રય કરીને-અંગીકાર કરીને ભરતાદિક-ભરત ચક્રવર્તી, મરૂદેવી માતા, સૂર્યયશા વિગેરે સાક્ષપદને પામ્યા છે; તેઓએ કષ્ટ ઉત્પન્ન કરનારૂં તપ, લેચ, તથા પરીષહાદિકનું સહન કરવું ઇત્યાદિક વ્રત સંયમાદિક અનુષ્ઠાન કાંઈપણ કર્યું નહતું. માટે એક સમતાજ ભવસાગરથી તારનારી છે, એમ સિદ્ધ થાય છે. ૪૩. Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy