________________
અધ્યાય : ૧, સૂત્ર-૩૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૧-૩૧) પ્રયોજન : એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે તે વાત અહીં રજુ કરે છે.
एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः १-३१ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદ્ધ એકસ્મિનું આચતુર્ભ ૧-૩૧
શબ્દાર્થ એકાદીનિ = એકથી આરંભીને એક-બે-ત્રણ, ભાજયાનિ = ભજના હોવી, સંભાવના, હોઇ શકે, યુગપદ્ = એક સાથે, આચતુર્ભુઃ = ચાર (જ્ઞાન) સુધી
સૂત્રાર્થઃ એક જીવમાં એકીસાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે.
ભાવાર્થ : એક જ્ઞાન : જ્યારે જીવ નિસર્ગ સમ્યકત્વ પામે છે ત્યારે તુરંત મતિ અજ્ઞાન, મતિજ્ઞાન ગણાય છે. તે વખતે જ્યાં સુધી શ્રુત કે શાસ્ત્રનો અભ્યાસ ન હોય ત્યાં સુધી શ્રુતજ્ઞાન હોતું નથી. માત્ર મતિજ્ઞાન હોય છે. જો કે તે વખતે પણ શ્રુતજ્ઞાન અક્ષરના અનંતમા ભાગ રૂપ હોય જ છે પરંતુ શાસ્ત્રોનું વિશિષ્ટ શ્રુતજ્ઞાન નથી. તે વખતે શાસ્ત્રોનો અભ્યાસ હજુ નથી પરંતુ અલ્પમાત્રાએ તો શ્રત પણ હોય જ છે તેની માત્રા અલ્પ હોવાથી એકલું મતિજ્ઞાન છે એમ કહેવાય છે. અથવા કેવળજ્ઞાન જ્યારે હોય ત્યારે તે એકલું જ હોય છે. કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનનો સંભવ નથી.
બે જ્ઞાનઃ જ્યારે જીવને શ્રુતજ્ઞાનના અભ્યાસ સાથે મતિજ્ઞાન હોય ત્યારે બે જ્ઞાન હોય છે. મતિ અને શ્રુત.
ત્રણ જ્ઞાન : જીવને એક સાથે ત્રણ જ્ઞાન હોય તેવો સંભવ માત્ર અપૂર્ણ અવસ્થામાં જ હોય છે. તેમાં અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન વિકલ્પ હોય છે. પણ મતિ અને શ્રુત સાથે જ હોય છે. આમ ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાન હોય છે.
ચાર જ્ઞાન: ચાર જ્ઞાન પણ અપૂર્ણ અવસ્થામાં જ એક સાથે હોય છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એમ ચાર જ્ઞાન જીવને એકી સાથે હોઈ શકે છે.
શંકા શાસ્ત્રમાં એકેન્દ્રિય જીવોમાં પણ મતિ શ્રુતજ્ઞાનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે સર્વજીવોમાં મતિ-શ્રત એ બે જ્ઞાન હોય છે, તો કેવળ મતિજ્ઞાન કેમ હોઈ શકે?