________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૬૨
અધ્યાય ઃ ૧, સૂત્ર-૨૯-૩૦
સૂત્ર (૧-૨૯) પ્રયોજન ઃ આ સૂત્રમાં મનઃપર્યવજ્ઞાનનો વિષય રજુ કર્યો છે.
-૨૧
तदनन्तभागे मनःपर्यायस्य તદનન્તભાગે મનઃપર્યાયસ્ય તદ્ અનન્તભાગે મનઃપર્યાયસ્ય ૧-૨૯
૧-૨૯
શબ્દાર્થ : તદ્ = તે (અવધિજ્ઞાનના), અનન્તભાગે = અનન્તમા ભાગે, મન:પર્યાયસ્ય = મન:પર્યવજ્ઞાનનો.
સૂત્રાર્થ : મનઃપર્યવજ્ઞાનનો વિષય તેનાથી (અવધિજ્ઞાનના વિષયથી) અનન્તમો ભાગ છે.
ભાવાર્થ : અવધિજ્ઞાની સર્વરૂપી પદાર્થોને જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની તેના અનંતમા ભાગના જ રૂપી પદાર્થોને જાણી શકે છે. કારણ કે મનઃપર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સંશીપંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલોને અને તેના પર્યાયોને જાણી શકે છે. આ કારણે જ મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષય કરતાં અનંતમા ભાગે છે. છતાં વિશુદ્ધિમાં અધિક હોવાથી તેનો નંબર અવધિજ્ઞાન કરતાં આગળ છે.
=
સૂત્ર (૧-૩૦) પ્રયોજન ઃ આ સૂત્રથી કેવળજ્ઞાનનો વિષય જણાવે છે. सर्वद्रव्यपर्यायेषु केवलस्य
૨-૨૦
સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલમ્ય
૧-૩૦
સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલસ્ય
૧-૩૦
શબ્દાર્થ : સર્વ = બધા, દ્રવ્ય = (રૂપી-અરૂપી) દ્રવ્યો, પર્યાય = પર્યાયોમાં, કેવલ
- કેવળજ્ઞાન.
સૂત્રાર્થ : કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયો છે.