________________
૫૦
અધ્યાય : ૧, સૂત્ર-૨૧
સૂત્ર (૧-૨૧) પ્રયોજન : અવધિજ્ઞાનના ભેદ જણાવે છે.
द्विविधोऽवधिः
-૨૬
દ્વિવિધોડવધિઃ
૧-૨૧
૧-૨૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
=
દ્વિવિધઃ અવધિઃ
શબ્દાર્થ : દ્વિવિધ = બે ભેદ, અવિધ
અધિજ્ઞાન.
સૂત્રાર્થ : અવધિજ્ઞાનના બે ભેદ છે. ભવ પ્રત્યય અને ક્ષયોપશમ પ્રત્યય.
ભાવાર્થ : પ્રત્યય એટલે નિમિત્ત. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવપ્રત્યય. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય તે ક્ષયોપશમ પ્રત્યય.
ભવપ્રત્યય : જે અવધિજ્ઞાન જન્મતાની સાથે જ પ્રગટ થાય છે તે ભવપ્રત્યય કહેવાય છે. અર્થાત્ જેના પ્રગટ થવા માટે વ્રત-નિયમ વગેરે અનુષ્ઠાનની અપેક્ષા નથી એવું જન્મસિદ્ધ અવધિજ્ઞાન. તેની પ્રાપ્તિમાં તે તે ભવ માત્ર કારણ છે. દેવ અને નારકના જીવોને ભવપ્રત્યય અવિધજ્ઞાન હોય છે. આ અવધિજ્ઞાનને ભવપ્રત્યયિક પણ કહેવાય છે.
ક્ષયોપશમ નિમિત્ત : જે અવધિજ્ઞાન જન્મસિધ્ધ નથી પણ જન્મ લીધા પછી ધ્યાન - વ્રત વગેરે અનુષ્ઠાનથી પ્રગટ થાય છે તે “ક્ષયોપશમ નિમિત્ત” અથવા “ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે.” અહીં ક્ષયોપશમ એ લક્ષણ અને જ્ઞાન એ લક્ષ્ય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી આ જ્ઞાન પ્રગટ થાય છે. તેમાં ઉદયમાં આવેલાનો ક્ષય અને નહી ઉદયમાં આવેલાનો ઉપશમ થાય છે, માટે ક્ષયોપશમના નિમિત્તવાળું અવધિજ્ઞાન છે એમ કહેવાય છે.
શંકા : વર્તમાનકાળમાં ભરતક્ષેત્રમાં કોઈને અવધિજ્ઞાન હોઈ શકે ?
સમાધાન : ના, આ પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કોઈને અધિજ્ઞાન થતું દેખાતું નથી. થયું હોય એમ સંભળાતું પણ નથી.
શંકા : ચોથો આરો ક્યારે પૂર્ણ થયો ?
સમાધાન : મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ મહીના પછી ચોથો આવો પૂર્ણ થયો. જંબુસ્વામી મોક્ષે ગયા પછી ભરતક્ષેત્રમાંથી કોઈ મોક્ષે ગયું નથી. તેથી એમ કહેવાય છે કે જંબુસ્વામી મોક્ષે ગયા પછી મોક્ષના દ્વાર બંધ થઈ ગયા.