________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે.
(૧) ઔત્પાતિકી : વિશિષ્ટ પ્રસંગ ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ.
(૨) વૈયિકી : ગુરુ પાસેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ. ગુરુનો વિનય કરવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ.
(૩) કાર્મિકી : અભ્યાસ કરતા પ્રાપ્ત થતી બુદ્ધિ. કામ કરતાં કરતાં સુથારનો દીકરો સુથારીકામ શીખી લે. તે કાર્મિકી બુદ્ધિ કહેવાય છે.
(૪) પારિણામિકી : જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થતી બુદ્ધિ.
શંકા ઃ શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત ગણતા મતિજ્ઞાનના કુલ કેટલા ભેદ થાય ? સમાધાન : શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ આગળ સમજાવ્યા તેમાં અશ્રુતનિશ્રિત-મતિજ્ઞાનના ચાર ભેદ ઉમેરતા મતિજ્ઞાનના કુલ ૩૩૬ + ૪ = ૩૪૦ ભેદ થાય.
શ્રુતનિશ્ચિત
અધ્યાય : ૧, સૂત્ર-૧૯
શંકા : શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન અને તેના પેટા ભેદો હજુ સ્પષ્ટ થયા નથી.
સમાધાન : નીચેના ટેબલથી મતિજ્ઞાનના ભેદો અને પેટાભેદો વિસ્તારથી સમજીએ. મતિજ્ઞાન
અવગ્રહ
વ્યંજનાવગ્રહ
૪
ઇહા અપાય
૬
દ
ધારણા
૪૫
અર્થાવગ્રહ
૬
ઔત્યપાતિકી વૈયિકી
અશ્રુતનિશ્ચિત
કાર્મિકી પારિણામિકી