SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૭ ૧૬૯ સૂત્ર (૮-૭) પ્રયોજન : જ્ઞાનાવરણીય નામની મૂળ પ્રકૃતિના પાંચ ઉત્તર ભેદો જણાવે છે. मत्यादीनाम् મત્યાદીનામ્ મિત આદીનાર્ ૮-૭ ૮-૭ = શબ્દાર્થ : મતિ = મતિજ્ઞાન, આદિનામ્ = આદિ શબ્દથી મતિ, શ્રુત, અવિધ, મનઃપર્યય, અને કેવળ એ પાંચ ભેદો છે. 60-2 સૂત્રાર્થ : મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનોના આવરણને લીધે જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે. ભાવાર્થ : જ્ઞાન પાંચ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેથી તેનું આવરણ કરનારા કર્મો પણ પાંચ પ્રકારનાં છે. (૧) મતિજ્ઞાનાવરણ ઃ ઈન્દ્રિયો અને મન દ્વારા પ્રગટ થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે મતિજ્ઞાનાવરણીય કર્મ. (૨) શ્રુતજ્ઞાનાવરણ : ગુરુગમ, આગમ અથવા શાસ્ત્ર દ્વારા થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ. (૩) અવધિજ્ઞાનાવરણ ઃ ઈન્દ્રિયોની સહાય વિના, આત્મા વડે રૂપી દ્રવ્યોનું મર્યાદા પૂર્વકનું થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે અધિજ્ઞાનાવરણીય કર્મ. (૪) મનઃપર્યવજ્ઞાનાવરણ : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જાણવાની આત્માની જે શક્તિ તે મનઃપર્યવજ્ઞાન, તેને આચ્છાદન કરે અથવા રોકે તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ. (૫) કેવળજ્ઞાનાવરણ : ત્રણે લોકમાં રહેલા સર્વે દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોને જાણવા તે કેવળજ્ઞાન. તેને આચ્છાદન કરે અથવા રોકે તે કેવળજ્ઞાનાવરણીય કર્મ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy