________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૭, સૂત્ર-૧
(1) કુવચન : કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું.
(2) સહસાત્કાર : વગર વિચાર્યે અનુચિત શબ્દો બોલવા.
(3) અસદારોપણ : કોઈના ઉપર ખોટા આક્ષેપો યુક્ત વચન બોલવાં.
(4) નિરપેક્ષ : શાસ્ત્ર મર્યાદાની અપેક્ષા રાખ્યા વિના વચનો બોલવાં.
(5) સંક્ષેપ : સૂત્રો ટુંકાવીને બોલવાં.
(6) ક્લેશ : ઝઘડો કરવો.
(7) વિકથા : સ્ત્રીકથા, ભક્તકથા આદિ વિકથાઓ કરવી.
(8) હાસ્ય : સામાયિકમાં મશ્કરી-મજાકવાળા વચનો બોલવા.
(9) અશુદ્ધ : સૂત્રો અશુદ્ધ બોલવાં.
(10) અસ્પષ્ટ : પોતે અથવા બીજા ન સમજી શકે તેવા અસ્પષ્ટ સૂત્રો બોલવાં.
(૩) કાયદુપ્રણિધાન : કાયાના ૧૨ દોષો સેવવા તે અતિચાર છે.
:
(1) આસન : પગ ઉપર પગ ચડાવીને અવિવેકથી બેસવું.
(2) ચલિતાસન : વારંવાર ઉઠવું. બીજા સ્થાને નિષ્પ્રયોજન બેસવું.
(3) ચલદૅષ્ટિ : સામાયિકમાં ચારે બાજુ નિષ્પ્રયોજન આંખો ફેરવ્યા કરવી.
(4) સાવઘક્રિયા : સાંસારિક આરંભ-સમારંભના કામો કરવા - કરાવવા.
(5) આલંબન : દિવાલ, થાંભલા આદિનો ટેકો રાખીને બેસવું. (6) આકુંચન : હાથ-પગ આદિ પહોળા કરવા અને અતિશય સંકોચવા.
૧૩૫
(7) આળસ : અંગ મરડવું. બગાસાં ખાવાં.
(8) મોટન : હાથ-પગની આંગળીઓના ટચાકા ફોડવા.
(9) મલ : હાથ-પગ અને શરીરનો મેલ ઉતારવો.
(10) વિમાસણ : ગાલ ઉપર હાથ રાખી ઉદાસીનપણે બેસવું. (11) નિંદ્રા : ઝોકા ખાવા - ઊંઘી જવું.